AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રી રામની વંશાવલી : રઘુકુલના વંશજ અને અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામની વંશાવલી

પ્રભુ શ્રી રામની વંશાવલી: ભગવાન રામના જન્મ પહેલા પણ તેમના વંશજો અયોધ્યા પર રાજ કરતા હતા. પ્રભુની વંશાવળી ખૂબ જ વિશાળ અને ગૌરવશાળી માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસ માનસમાં તેમના વંશનો ઉલ્લેખ છે.

શ્રી રામની વંશાવલી : રઘુકુલના વંશજ અને અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામની વંશાવલી
Lord Ram
Dhinal Chavda
| Edited By: | Updated on: Oct 13, 2025 | 1:39 PM
Share

અયોધ્યા અને શ્રી રામને એકબીજાના પૂરક માનવામાં આવે છે. ભગવાન રામનું જન્મસ્થળ હોવાના કારણે આ શહેર હિન્દુઓ માટે પવિત્ર માનવામાં આવે છે. ભગવાન રામના જીવનના અનેક પ્રકરણો અયોધ્યા સાથે સંબંધિત છે. રામાયણ અને રામ ચરિત માનસમાં પ્રભુ સાથે સંબંધિત વિગતો દર્શાવે છે કે તેમના જન્મ પહેલા જ તેમના વંશજોએ અયોધ્યાને તેમની રાજધાની બનાવી હતી.

આદર્શો, ત્યાગ અને મર્યાદા પુરુષોત્તમના વંશમાં અનેક મહાન રાજા થઇ ગયા. રામાયણ અને તુલસી માનસના આધારે, ચાલો જાણીએ કે ભગવાન શ્રી રામના કયા વંશજોએ સૌથી પહેલા અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને રઘુકુલ વંશની શરૂઆત ક્યાંથી થઈ.

પ્રભુની સંપૂર્ણ વંશાવળી જાણો

ભગવાન શ્રી રામ ઇક્ષ્વાકુ વંશના હતા અને આ વંશના ગુરુ વશિષ્ઠ હતા. ભગવાન શ્રી રામની વંશાવળી ખૂબ જ વ્યાપક અને પ્રભાવશાળી રહી છે. મરીચિનો જન્મ ભગવાન બ્રહ્માથી થયો હતો અને મરીચિના પુત્ર કશ્યપ હતો. કશ્યપના પુત્ર સ્વન અને વિવસ્વનો પુત્ર વૈવસ્વત મનુ હતો. વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુ હતા અને ઇક્ષ્વાકુના પુત્ર કુક્ષી હતા. કુક્ષીના પુત્રના નામ વિકુક્ષી હતું. વિકુક્ષીના પુત્ર બાણ હતા અને બાણના પુત્ર અરણ્ય હતા. અરણ્યથી પૃથુ અને પૃથુમાંથી ત્રિશંકુનો જન્મ થયો. ત્રિશંકુના પુત્ર ધુન્ધુમાર હતો અને ધુન્ધુમારના પુત્ર યુવનાશ્વ હતા. યુવનાશ્વના પુત્ર માંધાતા અને માંધાતાના પુત્ર સુસંધિનો હતા.

સુસંધિને બે પુત્રો હતા – ધ્રુવસંધિ અને પ્રસેનજિત હતા, ધ્રુવસંધિના પુત્ર ભરત હતા અને ભરતના પુત્ર અસિત.અસિતના પુત્ર સગર અને સગરના પુત્ર અસ્મંજનો જન્મ થયો. અસ્મંજના પુત્ર અંશુમન અને અંશુમનના પુત્ર દિલીપ હતા. દિલીપના પુત્ર ભગીરથ અને ભગીરથના પુત્ર કકુત્સ્થ હતા. કકુત્સ્થના પુત્ર રઘુ હતા અને રઘુ અને રઘુ એ મહાન રાજા બન્યા જેના નામ પરથી રઘુકુળ નામ પળ્યું. રઘુના પુત્ર શંખન અને શંખના પુત્ર સુદર્શ હતા, સુદર્શનના પુત્ર અગ્નિવર્ણ અને અગ્નિવર્ણના પુત્ર શ્રીધ્રગ હતા. શ્રીધ્રગના પુત્ર મરુ અને મરુના પુત્ર પ્રશુશ્રુક હતા. પ્રશુશ્રુકાના પુત્ર અંબરીશ હતા અને અંબરીશના પુત્રનું નામ નહુષ હતું. નહુષાના પુત્ર યયાતિ અને યયાતિના પુત્ર નાભાગ હતા. નાભાગના પુત્ર અજ હતો અને અજનો પુત્ર રાજા દશરથ હતા. રાજા દશરથને ચાર પુત્રો હતા, શ્રી રામચંદ્ર, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન, ભગવાન શ્રી રામચંદ્રને બે પુત્રો લવ અને કુશ હતા.

રઘુકુલ વંશની શરૂઆત

ભગવાન શ્રી રામના પૂર્વ વંશજ રઘુ ખૂબ જ પરાક્રમી, તેજસ્વી અને મહાન રાજા હતા અને તેમની મહાનતાને કારણે જ અહીંથી રઘુકુલ વંશનું નામ પડ્યું. ભગવાન રામના વંશજ ભગીરથની તપસ્યાના પરિણામ સ્વરૂપ ગંગા પૃથ્વી પર આવ્યા.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">