Bhakti: પવિત્ર શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ ન કરો, નકારાત્મક અસરો થઈ શકે છે
ભગવાન ભોલેનાથને રીઝવવા માટે શ્રાવણ મહિનો હિંદુઓ માટે બહુ મહત્વ ધરાવે છે. જાણો આ મહિનામાં કેટલીક વસ્તુઓ ન કરવા પાછળનું કારણ.
શ્રાવણ(Shravan) જેને પવિત્ર મહિનો(holy month ) માનવામાં આવે છે. શ્રાવણનો પહેલો સોમવાર(Monday ) તેનું પોતાનું મહત્વ ધરાવે છે. આ મહિના દરમિયાન, ભક્તો ભગવાન શિવની(lord shiva ) પૂજા કરે છે અને સોમવારની વિશેષ પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે. પરંતુ સોમવારે એવા કામ ન કરો જે તમારા માટે યોગ્ય નથી. તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોમવારે કેવી રીતે પૂજા કરવી અને શું ટાળવું.
શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ કરવાની ભૂલ ન કરતા.
* માત્ર શ્રાવણના સોમવારે જ નહીં, પણ આખા મહિના માટે, તમારે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે તમને ઉપવાસનો લાભ નહીં આપે.
* રીંગણાનો બિલકુલ ઉપયોગ ન કરો. રીંગણને શુદ્ધ શાકભાજી માનવામાં નથી આવતી. જેથી શ્રાવણના મહિનામાં રીંગણ ખાવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
* શેરડીનો રસ અને મરી ન ખાઓ. કારણ કે મહાદેવને આ વસ્તુઓ જરાય પસંદ નથી.
* સરસવનું તેલ શનિદેવ પર ચડતું હોવાથી તેને લગાવવું જોઈએ નહીં. આ ઉગ્ર લાગણીઓ ઉતપન્ન કરે છે અને જ્યારે ભગવાન ભોલેનાથ શાંત સ્વભાવના છે.
* શિવજીને હળદર ન લગાવો કારણ કે તે અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં મુશ્કેલી આવી શકે છે.
* હજામત કરવી કે વાળ કાપવા નહીં.
* દિવસ દરમિયાન બિલકુલ ન સૂવું જોઈએ. કારણ કે કહેવાય છે કે આ આખો મહિનો ભોલેનાથ પૃથ્વીની આસપાસ ફરે છે. જો તમે ઊંઘો છો, તો તેમનું અપમાન થાય છે.
* ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. આ મહિના દરમ્યાન ઘરની સાફસફાઈ અવશ્ય કરવી જોઈએ.
* વૃક્ષો બિલકુલ ન કાપશો, પરંતુ પરિવારના સભ્યોની સંખ્યા સમાન વૃક્ષો વાવો.
* કોઈ પણ કાવડ યાત્રીઓનું અપમાન ન કરો. આમ કરવાથી વધુ પાપ થઈ શકે છે અને તમારું કામ બગડી શકે છે.