શું તમારી કુંડળીમાં પણ છે મંગળ દોષ તો આ ઉપાયો અજમાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ(Mangal dosha)હોય છે, તે લોકોના લગ્નમાં વિલંબ થતો જોવા મળે છે અથવા તો તે લોકોના લગ્નમાં અનિચ્છનીય અવરોધનો સામનો કરવો પડે છે.

શું તમારી કુંડળીમાં પણ છે મંગળ દોષ તો આ ઉપાયો અજમાવો
Do you also have Mangal dosha in your horoscope, then definitely do these remedies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 6:01 PM

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક પોતાની કુંડળીના માધ્યમથી તે તેના ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અનુમાન લગાવી શકે છે. જો તમારી કુંડળીમાં ખામી હોય તો તેનાથી તમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે, મંગળ દોષનું નામ સાંભળતા જ લોકો ઘણી વાર ચિંતામાં મુકાય છે. ખાસ કરીને જ્યારે વાત અપરિણીત લોકોની થતી હોય ત્યારે જાતકના માતા- પિતામા મુંઝવણમાં વધારે જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય છે, તે લોકોના લગ્નમાં વિલંબ થતો જોવા મળે છે અથવા તો તે લોકોના લગન્નમાં અનિચ્છનીય અવરોધનો સામનો કરવો પડે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે માંગલિક છોકરા કે છોકરીના લગ્ન માંગલિક વ્યક્તિ સાથે જ થઈ શકે છે. જો કોઈ માંગલિક વ્યક્તિ માંગલિક ન હોય તેવા વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેમના જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તો આજે આપણે જાણીએ કે કોઈની કુંડળીમાં મંગળ દોષ કેવી રીતે બને છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે.

કુંડળીમાં મંગળ દોષ કેવો છે

જે લોકોની કુંડળીમાં મંગળ ચોથા, સાતમા, આઠમા અને બારમાં ઘરમાં હોય તો તેવી કુંડળીને મંગળ દોષવાળી કુંડળી કહેવામાં આવે છે. આવી કુંડળીમાં મંગલ દોષ હોય છે. જેના કારણે આવા લોકો માંગલિક કહેવામાં આવે છે. લોકોનું એવું માનવું છે કે જે લોકો માંગલિક હોય છે તેવા લોકોના લગ્ન જીવનમાં સમસ્યા આવી શકે છે. જો માંગલિક વ્યક્તિ બિન માંગલિક જાતક સાથે લગ્ન કરે છે તો તેમનું લગ્ન જીવન મંગલમય રહેતું નથી. તે દંપતિ વચ્ચે તાલમેલ સારો રહેતો નથી. સામાન્ય રીતે જોવા મળે છે કે જે જાતક મંગળ દોષથી પીડિત હોય છે તે ઘણીવાર એકલા રહેવાનું પસંદ કરે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મંગળ દોષ દૂર કરવાના ઉપાય

જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય તો મા મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. મંગળા ગૌરીનું વ્રત તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આ વ્રતના દિવસે મા મંગળા ગૌરીના મંદિરમાં જઈને વિધિ-વિધાન પ્રમાણે તેમની પૂજા કરવાથી તમારી કુંડળીના તમામ દોષ દૂર થઈ જાય છે અને તમારા લગ્નમાં આવતી અડચણોને દૂર કરવા થાય છે. માતા મંગળા ગૌરીને હળદરની માળા પણ ખાસ ચઢાવવામાં આવે છે.

જે લોકો માંગલિક હોય તેવા લોકોને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી કુંડળી માંથી મંગળ દોષ દૂર થાય છે. ખાસ કરીને આ મંગળદોષથી બચવા માટે મંગળવારે લાલ રંગના કપડાં, મસૂર, લાલ ફળ વગેરેનું ગરીબને કે મંદિરમાં દાન કરવું જોઈએ.

જે લોકોની કુંડળીમાં મંગલ દોષ હોય તે લોકોએ ઉજ્જૈનના મંગલનાથ મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ. કુંડળીના દોષોને દૂર કરવા માટે આ સ્થાનને મહાતીર્થ તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી લગ્નમાં આવતી અડચણો અને વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

કુંડળીમાંથી મંગળ દોષ દૂર કરવા માટે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. લોકોનું એવું માનવું છે કે દરરોજ શિવલિંગ પર જળ અર્પિત કરવાથી તમારી કંડળીના મંગળ દોષ ઉપરાંત જેટલા પણ દોષ હોય તેને દૂર કરવામાં મદદ રુપ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">