AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારી કુંડળીમાં પણ છે મંગળ દોષ તો આ ઉપાયો અજમાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ(Mangal dosha)હોય છે, તે લોકોના લગ્નમાં વિલંબ થતો જોવા મળે છે અથવા તો તે લોકોના લગ્નમાં અનિચ્છનીય અવરોધનો સામનો કરવો પડે છે.

શું તમારી કુંડળીમાં પણ છે મંગળ દોષ તો આ ઉપાયો અજમાવો
Do you also have Mangal dosha in your horoscope, then definitely do these remedies
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 6:01 PM
Share

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક પોતાની કુંડળીના માધ્યમથી તે તેના ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અનુમાન લગાવી શકે છે. જો તમારી કુંડળીમાં ખામી હોય તો તેનાથી તમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે, મંગળ દોષનું નામ સાંભળતા જ લોકો ઘણી વાર ચિંતામાં મુકાય છે. ખાસ કરીને જ્યારે વાત અપરિણીત લોકોની થતી હોય ત્યારે જાતકના માતા- પિતામા મુંઝવણમાં વધારે જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય છે, તે લોકોના લગ્નમાં વિલંબ થતો જોવા મળે છે અથવા તો તે લોકોના લગન્નમાં અનિચ્છનીય અવરોધનો સામનો કરવો પડે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે માંગલિક છોકરા કે છોકરીના લગ્ન માંગલિક વ્યક્તિ સાથે જ થઈ શકે છે. જો કોઈ માંગલિક વ્યક્તિ માંગલિક ન હોય તેવા વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેમના જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તો આજે આપણે જાણીએ કે કોઈની કુંડળીમાં મંગળ દોષ કેવી રીતે બને છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે.

કુંડળીમાં મંગળ દોષ કેવો છે

જે લોકોની કુંડળીમાં મંગળ ચોથા, સાતમા, આઠમા અને બારમાં ઘરમાં હોય તો તેવી કુંડળીને મંગળ દોષવાળી કુંડળી કહેવામાં આવે છે. આવી કુંડળીમાં મંગલ દોષ હોય છે. જેના કારણે આવા લોકો માંગલિક કહેવામાં આવે છે. લોકોનું એવું માનવું છે કે જે લોકો માંગલિક હોય છે તેવા લોકોના લગ્ન જીવનમાં સમસ્યા આવી શકે છે. જો માંગલિક વ્યક્તિ બિન માંગલિક જાતક સાથે લગ્ન કરે છે તો તેમનું લગ્ન જીવન મંગલમય રહેતું નથી. તે દંપતિ વચ્ચે તાલમેલ સારો રહેતો નથી. સામાન્ય રીતે જોવા મળે છે કે જે જાતક મંગળ દોષથી પીડિત હોય છે તે ઘણીવાર એકલા રહેવાનું પસંદ કરે છે.

મંગળ દોષ દૂર કરવાના ઉપાય

જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય તો મા મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. મંગળા ગૌરીનું વ્રત તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આ વ્રતના દિવસે મા મંગળા ગૌરીના મંદિરમાં જઈને વિધિ-વિધાન પ્રમાણે તેમની પૂજા કરવાથી તમારી કુંડળીના તમામ દોષ દૂર થઈ જાય છે અને તમારા લગ્નમાં આવતી અડચણોને દૂર કરવા થાય છે. માતા મંગળા ગૌરીને હળદરની માળા પણ ખાસ ચઢાવવામાં આવે છે.

જે લોકો માંગલિક હોય તેવા લોકોને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી કુંડળી માંથી મંગળ દોષ દૂર થાય છે. ખાસ કરીને આ મંગળદોષથી બચવા માટે મંગળવારે લાલ રંગના કપડાં, મસૂર, લાલ ફળ વગેરેનું ગરીબને કે મંદિરમાં દાન કરવું જોઈએ.

જે લોકોની કુંડળીમાં મંગલ દોષ હોય તે લોકોએ ઉજ્જૈનના મંગલનાથ મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ. કુંડળીના દોષોને દૂર કરવા માટે આ સ્થાનને મહાતીર્થ તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી લગ્નમાં આવતી અડચણો અને વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

કુંડળીમાંથી મંગળ દોષ દૂર કરવા માટે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. લોકોનું એવું માનવું છે કે દરરોજ શિવલિંગ પર જળ અર્પિત કરવાથી તમારી કંડળીના મંગળ દોષ ઉપરાંત જેટલા પણ દોષ હોય તેને દૂર કરવામાં મદદ રુપ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">