Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજમાવી લો મીણબત્તી અને માટીનો આ પ્રયોગ, બાળકો એકાગ્રતા સાથે કરવા લાગશે અભ્યાસ !

વાસ્તુશાસ્ત્ર (Vastushashtra)અને જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારના બાળકો કે જેમનું ધ્યાન ભણવામાં નથી લાગતું તેમના માટે કેટલાક ખાસ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરવાથી બાળકનું મન ભણવામાં એકાગ્ર કરાવી શકાય છે.

અજમાવી લો મીણબત્તી અને માટીનો આ પ્રયોગ, બાળકો એકાગ્રતા સાથે કરવા લાગશે અભ્યાસ !
Child
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 28, 2022 | 6:15 AM

દરેક બાળક પોતાની મરજીનો માલિક હોય છે અને દરેક બાળકની પોતાની અલગ શક્તિઓ અને વિશેષતાઓ હોય છે. કેટલાક બાળકોનું મન અભ્યાસમાં એટલું લીન હોય છે કે તેમને સવાર-સાંજ ગમે તે સમયે જોઇએ, તે બસ, અભ્યાસ જ કરતા હોય છે. ત્યાં જ કેટલાક બાળકો એવા પણ હોય છે કે જેમને ભણવું ગમતું જ નથી હોતું. ભણવાના નામે જ તેમનું નાક ચઢી જતું હોય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારના બાળકો કે જેમનું ધ્યાન ભણવામાં નથી લાગતું તેમના માટે કેટલાક ખાસ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરવાથી બાળકનું મન ભણવામાં એકાગ્ર કરાવી શકાય છે. તો ચાલો. કેટલાક એવાં જ ઉપાયો વિશે જાણીએ.

એકાગ્રતા વધારવાના ઉપાય

આજકાલ માતા પિતા માટે સૌથી વધુ ચિંતાનો વિષય જ એ હોય છે કે તેમના બાળકોનું મન અભ્યાસમાં નથી લાગતું ! માતા પિતા દરેક પ્રકારના પ્રયત્નો કરી લે છે કે કેમ કરી બાળકો અભ્યાસમાં રસ લેતા થાય. પરંતુ, દરેક વખતે તેમને સફળતા મળે તે જરૂરી નથી હોતું. એટલે આ માટે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો અજમાવવા જરૂરી બની જાય છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

મીણબત્તીથી એકાગ્રતા !

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે બાળકોના રૂમમાં મીણબત્તી લગાવવાથી તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે. એટલે કે તેમની એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. મીણબત્તીને હંમેશા બાળકોના રૂમની ઉત્તર-પૂર્વ કે દક્ષિણ દિશામાં લગાવવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી બાળકોનું ધ્યાન ભણવામાં લાગે છે અને એમની એકાગ્રતા શક્તિમાં વધારો થાય છે.

શું રાખશો ધ્યાન ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કેટલીક દિશાઓ એવી છે કે જ્યાં મીણબત્તી ન લગાવવી જોઇએ. જેમ કે ઘરના વાયવ્ય કોણમાં એટલે કે ઉત્તર-પશ્ચિમ ખૂણામાં મીણબત્તી લગાવવાથી ધનનું આગમન રોકાઇ જાય છે અને ઘરની આર્થિક સ્થિત પર તેનો પ્રભાવ પડે છે ! એટલે બાળકોની એકાગ્રતા અર્થે જો ઘરમાં મીણબત્તી લગાવી રહ્યા હોવ, તો આ વાત જરૂરથી ધ્યાન રાખવી જોઈએ.

કેવું હોવું જોઈએ બાળકોનું સ્ટડી ટેબલ ? 

વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકો જે ટેબલ-ખુરશી પર બેસીને અભ્યાસ કરતા હોય તેનો આકાર લંબગોળ હોવો જોઇએ. સાથે જ સ્ટડી ટેબલ એવી રીતે રાખવું જોઈએ કે બાળકો જ્યારે અભ્યાસ કરવા બેસે ત્યારે તેમનું મુખ દીવાલ તરફ ન હોવું જોઇએ.

માટીથી એકાગ્રતા !

જો વાત જ્યોતિશશાસ્ત્રની કરીએ તો ભગવાન વિષ્ણુની મૂર્તિ કે પ્રતિમા કે ફોટાની સામે દેશી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ આ દીપ કેળાના વૃક્ષને અર્પણ કરવો, અને ત્યાં રહેલી માટી ઘરે લઈ આવવી. આ માટીથી બાળકને તિલક લગાવવું જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી બાળકોનું મન અભ્યાસમાં એકાગ્ર બને છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">