AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજમાવી લો મીણબત્તી અને માટીનો આ પ્રયોગ, બાળકો એકાગ્રતા સાથે કરવા લાગશે અભ્યાસ !

વાસ્તુશાસ્ત્ર (Vastushashtra)અને જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારના બાળકો કે જેમનું ધ્યાન ભણવામાં નથી લાગતું તેમના માટે કેટલાક ખાસ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરવાથી બાળકનું મન ભણવામાં એકાગ્ર કરાવી શકાય છે.

અજમાવી લો મીણબત્તી અને માટીનો આ પ્રયોગ, બાળકો એકાગ્રતા સાથે કરવા લાગશે અભ્યાસ !
Child
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 28, 2022 | 6:15 AM
Share

દરેક બાળક પોતાની મરજીનો માલિક હોય છે અને દરેક બાળકની પોતાની અલગ શક્તિઓ અને વિશેષતાઓ હોય છે. કેટલાક બાળકોનું મન અભ્યાસમાં એટલું લીન હોય છે કે તેમને સવાર-સાંજ ગમે તે સમયે જોઇએ, તે બસ, અભ્યાસ જ કરતા હોય છે. ત્યાં જ કેટલાક બાળકો એવા પણ હોય છે કે જેમને ભણવું ગમતું જ નથી હોતું. ભણવાના નામે જ તેમનું નાક ચઢી જતું હોય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારના બાળકો કે જેમનું ધ્યાન ભણવામાં નથી લાગતું તેમના માટે કેટલાક ખાસ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરવાથી બાળકનું મન ભણવામાં એકાગ્ર કરાવી શકાય છે. તો ચાલો. કેટલાક એવાં જ ઉપાયો વિશે જાણીએ.

એકાગ્રતા વધારવાના ઉપાય

આજકાલ માતા પિતા માટે સૌથી વધુ ચિંતાનો વિષય જ એ હોય છે કે તેમના બાળકોનું મન અભ્યાસમાં નથી લાગતું ! માતા પિતા દરેક પ્રકારના પ્રયત્નો કરી લે છે કે કેમ કરી બાળકો અભ્યાસમાં રસ લેતા થાય. પરંતુ, દરેક વખતે તેમને સફળતા મળે તે જરૂરી નથી હોતું. એટલે આ માટે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો અજમાવવા જરૂરી બની જાય છે.

મીણબત્તીથી એકાગ્રતા !

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે બાળકોના રૂમમાં મીણબત્તી લગાવવાથી તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે. એટલે કે તેમની એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. મીણબત્તીને હંમેશા બાળકોના રૂમની ઉત્તર-પૂર્વ કે દક્ષિણ દિશામાં લગાવવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી બાળકોનું ધ્યાન ભણવામાં લાગે છે અને એમની એકાગ્રતા શક્તિમાં વધારો થાય છે.

શું રાખશો ધ્યાન ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કેટલીક દિશાઓ એવી છે કે જ્યાં મીણબત્તી ન લગાવવી જોઇએ. જેમ કે ઘરના વાયવ્ય કોણમાં એટલે કે ઉત્તર-પશ્ચિમ ખૂણામાં મીણબત્તી લગાવવાથી ધનનું આગમન રોકાઇ જાય છે અને ઘરની આર્થિક સ્થિત પર તેનો પ્રભાવ પડે છે ! એટલે બાળકોની એકાગ્રતા અર્થે જો ઘરમાં મીણબત્તી લગાવી રહ્યા હોવ, તો આ વાત જરૂરથી ધ્યાન રાખવી જોઈએ.

કેવું હોવું જોઈએ બાળકોનું સ્ટડી ટેબલ ? 

વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકો જે ટેબલ-ખુરશી પર બેસીને અભ્યાસ કરતા હોય તેનો આકાર લંબગોળ હોવો જોઇએ. સાથે જ સ્ટડી ટેબલ એવી રીતે રાખવું જોઈએ કે બાળકો જ્યારે અભ્યાસ કરવા બેસે ત્યારે તેમનું મુખ દીવાલ તરફ ન હોવું જોઇએ.

માટીથી એકાગ્રતા !

જો વાત જ્યોતિશશાસ્ત્રની કરીએ તો ભગવાન વિષ્ણુની મૂર્તિ કે પ્રતિમા કે ફોટાની સામે દેશી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ આ દીપ કેળાના વૃક્ષને અર્પણ કરવો, અને ત્યાં રહેલી માટી ઘરે લઈ આવવી. આ માટીથી બાળકને તિલક લગાવવું જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી બાળકોનું મન અભ્યાસમાં એકાગ્ર બને છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
g clip-path="url(#clip0_868_265)">