Bhakti: લાભ પાંચમે અચૂક કરો આ કામ, પૂર્ણ થશે સઘળા અભિલાષ !

લૌકિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાથી લઈ કારતક પૂર્ણિમા સુધી સ્વર્ગલોકમાંથી ધનની વર્ષા થતી હોય છે. જેને વિશેષ પૂજા વિધાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આ જ વિશેષ પૂજા માટે લાભ પાંચમનો અવસર ફળદાયી મનાય છે.

Bhakti: લાભ પાંચમે અચૂક કરો આ કામ, પૂર્ણ થશે સઘળા અભિલાષ !
વિવિધ દેવી-દેવતાની કૃપા પ્રાપ્ત કરાવશે લાભ પંચમી !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 09, 2021 | 11:52 AM

શાસ્ત્ર અનુસાર જોઈએ તો લાભ પંચમી (Labh Panchmi) એ તો દિવાળીના અંતનો દિવસ છે અને સાથે જ સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારો પણ. લાભ પાંચમને શ્રીપદા માનવામાં આવે છે. કારણ કે તે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. વિશેષ તો તે ધનલાભ કરાવનારો દિવસ મનાય છે.

લૌકિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાથી લઈ કારતક પૂર્ણિમા સુધી સ્વર્ગલોકમાંથી ધનની વર્ષા થતી હોય છે. જેને વિશેષ પૂજા વિધાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આ જ વિશેષ પૂજા માટે લાભ પાંચમનો અવસર ફળદાયી મનાય છે. કહે છે કે આજના દિવસે ગણેશજી, શિવજી તેમજ માતા લક્ષ્મીની ખાસ ઉપાયથી પૂજા કરવામાં આવે, તો ભક્તની ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ગણપતિ પૂજન આજે ગણેશજીને સોપારી અર્પણ કરવી. ગણેશજીની સન્મુખ બેસીને “ૐ વક્રતુંડાય હું” મંત્રનો 108 વખત જાપ કરવો. ત્યારબાદ શુભ મુહૂર્તમાં આ સોપારી તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર મૂકી દેવી. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં ક્યારેય નાણાંની તંગી નહીં વર્તાય.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

લક્ષ્મી પૂજન આજે લક્ષ્મીપૂજન કરવું. આ પૂજન બાદ પિત્તળની વાટકીમાં મખાનાની ખીર ભરીને દેવીને અર્પણ કરવી. દેવીની સન્મુખ બેસીને “ૐ શ્રીં ક્લીં ધનલક્ષ્મયૈ નમઃ ।” મંત્રનો 108 વખત જાપ કરવો. ત્યારબાદ તે ખીર બાળકીઓને પ્રસાદના રૂપમાં વહેંચી દેવી. ઘરની આર્થિક સુખાકારીમાં વૃદ્ધિ થશે.

ફળદાયી શિવપૂજન દુર્ભાગ્યને દૂર કરવા આજે શિવલિંગ પર ગોળ અર્પણ કરવો. તે સમયે “ૐ સદા શિવાય નમઃ ।” મંત્રનો જાપ કરવો. ત્યારબાદ તે ગોળ કાળી ગાયને ખવડાવી દેવો. માન્યતા અનુસાર આ પ્રયોગથી દુર્ભાગ્ય દૂર થશે. જીવનમાં શુભતા આવશે. અને સાથે જ ધનલાભ પણ થશે.

શું રાખશો ધ્યાન ? ⦁ લાભ પાંચમનો દિવસ એ દાન માટે શ્રેષ્ઠ છે. પણ, યાદ રાખો કે આ દિવસે ભૂલથી પણ ખાટી વસ્તુનું દાન ન કરો. ⦁ આ દિવસે વાસણોનું દાન કરવું લાભદાયી મનાય છે. પણ આ વાસણ પિત્તળના જ હોય તે જરૂરી છે. અન્ય કોઈ ધાતુના વાસણોનું આજે દાન ન કરવું. ⦁ લાભ પંચમીના અવસરે આંબા અને આસોપાલવના વૃક્ષનું પૂજન કરવું પણ લાભદાયી મનાય છે. ⦁ આ દિવસે શક્ય હોય તો ગણેશજીને દૂર્વા, લક્ષ્મીજીને આસોપાલવના પાન અને શિવજીને બીલીપત્ર અર્પણ કરવા. તેનાથી લાભની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સૌભાગ્ય પંચમીએ અચૂક કરો આ ઉપાય, ધંધામાં થશે વૃદ્ધિ અને પરિવારમાં આવશે ખુશહાલી

આ પણ વાંચો : સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">