Bhakti: સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત

સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રાપ્ત થાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપ કરવાથી વ્યક્તિનો ક્રોધ પણ શાંત થઈ જાય છે !

Bhakti: સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત
સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરશે સ્ફટિકની માળા !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 28, 2021 | 11:43 AM

લોકો મંત્રજાપ (mantra jaap) માટે માળાનો ઉપયોગ કરતા હોય છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ હોય છે કે ચોક્કસ દેવી દેવતાની કૃપાને પ્રાપ્ત કરવા માટે ચોક્કસ માળાનો પ્રયોગ કરવાથી જ લાભની પ્રાપ્તિ થતી હોય છે. જેમ કે તુલસીની માળા હાથમાં લઈને શિવજીના મંત્રજાપ ન કરી શકાય ! તેના માટે રુદ્રાક્ષની જ માળા જોઈએ. અને વળી આ માળાની પસંદગી પણ યોગ્ય વિધિથી થવી જોઈએ. ત્યારે આવો આજે સ્ફટિકની માળાની (crystal mala) વાત કરીએ.

સ્ફટિકની માળા અત્યંત ફળદાયી મનાય છે. મોટાભાગે શ્રદ્ધાળુઓ લક્ષ્મીમંત્રના જાપ માટે સ્ફટિકની માળાનો પ્રયોગ કરતા હોય છે. લક્ષ્મીમંત્રના જાપ માટે સ્ફટિકની માળા અને કમળકાકડીની માળા, એટલે કે કમલગટ્ટાની માળા બંન્ને શ્રેષ્ઠ મનાય છે. જ્યારે દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા માટે સ્ફટિકની માળા વિશેષ ફળદાયી બની રહી છે. અલબત્, તે માટે જરૂરી છે કે આ માળા પૂર્ણ પૂજાવિધિથી સિદ્ધ થઈ હોય. આવો જાણીએ કે, આ માળા કયા વારે ખરીદવી વધુ લાભદાયી બનશે. અને તેને કેવાં પૂજનથી સિદ્ધ કરવી.

સ્ફટિક માળાને સિદ્ધ કરવાની વિધિ 1. સ્ફટિકની માળા ખરીદવા માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. 2. સ્ફટિકની માળા ઘરમાં લાવ્યા બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરો. 3. પંચોપચારથી માળાની પૂજા કરો. 4. માળાને સફેદ પુષ્પ અર્પણ કરો. 5. સ્ફટિકની માળાને સફેદ રંગની મીઠાઈ નૈવેદ્ય રૂપે અર્પણ કરવી. 6. આ પૂજનવિધિ બાદ જ્યારે પણ સ્ફટિકની માળાથી મંત્રજાપ કરો ત્યારે સફેદ રંગના આસનનો ઉપયોગ કરવો. 7. ઉલ્લેખનીય છે કે મંત્રજાપ બાદ આ માળાને નિત્ય સફેદ રંગના વસ્ત્રમાં જ રાખવી. 8. મંત્રજાપ પૂર્વે અને મંત્રજાપ બાદ નિત્ય જ માળાને ધૂપ-દીપ અર્પણ કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિની માન્યતા છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

સ્ફટિકની માળાથી દેવી લક્ષ્મી સંબંધી મંત્રજાપ પણ કરી જ શકાય છે. પણ, દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા સ્ફટિકની માળા સૌથી શ્રેષ્ઠ મનાય છે. માતા સરસ્વતી એ માત્ર વિદ્યાના જ નહીં, વૃદ્ધિના પણ દાત્રી છે ! એટલે કે જો આસ્થા સાથે સ્ફટિકની માળાથી દેવી સરસ્વતીના મંત્રજાપ કરવામાં આવે તો તે ભક્તના અનેકવિધ મનોરથોને પૂર્ણ કરી દે છે.

સ્ફટિકની માળાથી મંત્રજાપ ફાયદા 1. સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. 2. સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રાપ્ત થાય છે. 3. સૌથી મહત્વની વાત એ છે કે સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપથી કરવાથી વ્યક્તિનો ક્રોધ પણ શાંત થઈ જાય છે ! 4. સ્ફટિકની માળાથી લક્ષ્મીમંત્રનો જાપ કરવાથી વ્યક્તિની આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે ઓમકાર જાપ !

આ પણ વાંચોઃ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">