મંગળવારે કરી લો આ એક કામ , તમને થશે અઢળક લાભ !

મંગળવારે કરો આ ખાસ ઉપાય, આ ઉપાય આપને કરશે માલામાલ ! દરિદ્રતાને પણ દૂર કરે દુંદાળા દેવ અને દેવી દુર્ગાના મળશે આશીર્વાદ ! મંગળવારે ગજાનનની સાથે દેવી દુર્ગાની પણ વિશેષ આરાધના કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ.

મંગળવારે કરી લો આ એક કામ , તમને થશે અઢળક લાભ !
Lord Ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 29, 2022 | 6:34 AM

મંગળવારના દિવસને ગણેશજી (Lord Ganesh)નો દિવસ માનવામાં આવે છે સાથે જ મંગળવારે મા દુર્ગાની પણ આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે મંગળવાર કે બુધવારે જો ગણેશજી અને દુર્ગામાતાની આરાધના સાથે કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે તો તે ઉપાયો વ્યક્તિને ખુબ જ લાભદાયી બને છે. આ ઉપાય આપને કરશે માલામાલ ! દરિદ્રતાને પણ દૂર કરે દુંદાળા દેવ અને દેવી દુર્ગાના મળશે આશીર્વાદ ! મંગળવારે ગજાનનની સાથે દેવી દુર્ગાની પણ વિશેષ આરાધના કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ. તો ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો છે જે ઉપાયો કરવાં માત્રથી આપનું જીવન સુખમય બની શકે છે. આજે અમે આપને જણાવીશું કે મંગળવારે કયા કાર્યો અવશ્ય કરવાં જોઈએ.

મંગળવારે  કરવાના કાર્યો

સૌથી પહેલાં તો સવારે વહેલા ઊઠીને સ્નાન આદિ કાર્યો પરવારી લો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઘરમાં જ મંદિરમાં ગણેશજીની સ્થાપના કરી હોય તો ત્યાં જ અથવા તો નજીકના કોઇ ગણેશ મંદિરમાં જઇને 11 કે 21 દૂર્વાની ગાંઠ ગણેશજીને અર્પણ કરો.

કહેવાય છે કે જો કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળે છે તો મંગળવારે શ્રીગણેશના કોઈ પણ મંત્રનો આપ જાપ કરી શકો છો.

ગણપતિ દરેક સંકટો અને વિઘ્નો દૂર કરે છે.

ગણપતિ બાપ્પાને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને દરેક દિવસની પૂજાની શરૂઆત ગણેશજીની પૂજા આરાધનાથી જ કરવામાં આવે છે.

મંગળવારના દિવસે ગણેશ પૂજનનું સવિશેષ મહત્વ માનવામાં આવે છે.

ગણેશજીને વિદ્યા અને બુદ્ધિના દાતા ગણવામાં આવે છે. આ દિવસે આપ જો ગણેશજીના મંત્રોનો જાપ કરશો તો સવિશેષ ફળની પ્રાપ્તિ થશે. નીચે આપેલ મંત્રની માળા કરવી જોઇએ. ” ૐ ગ્લૌમ ગણપતયે નમ : “

ગણેશજીને મોદકનો ભોગ અર્પણ કરવો આવશ્યક છે.

મંગળવારના દિવસે મા દુર્ગાની આરાધના કરવી પણ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે.

આજનો દિવસ બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટેનો માનવામાં આવે છે.

દુર્ગામાતાને સમસ્ત દુ:ખોનો નાશ કરનાર દેવી માનવામાં આવે છે.

મંગળવારના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ફળદાયી સાબિત થાય છે. જો આપની પાસે વધુ સમય ન હોય તો માત્ર 12માં અધ્યાય અને કુંજિકાસ્તોત્રનો પાઠ પણ આપ કરી શકો છો.

મંગળવાર અને બુધવારના દિવસને ગણેશજીની અને દેવી દુર્ગાની આરાધના કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે આ સરળ ઉપાયો કરવાથી વ્યક્તિના તમામ સંકટો, જીવનના અવરોધો, રોગ, દરિદ્રતા દૂર થતી હોવાની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : આ છોડને ઘરમાં લગાવવાની ના કરશો ભૂલ, નહીંતર થઈ શકે છે નુકસાન

આ પણ વાંચો : દેવી રાંદલ સાથે વિવાહ કરવા સૂર્યદેવે અજમાવી હતી ગજબ યુક્તિ ! જાણો રસપ્રદ કથા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">