દેવી રાંદલ સાથે વિવાહ કરવા સૂર્યદેવે અજમાવી હતી ગજબ યુક્તિ! જાણો રસપ્રદ કથા

લોકકથા કંઈક એવી છે કે સૂર્યદેવ તો પ્રથમ નજરે જ વિશ્વકર્માપુત્રી દેવી રાંદલને તેમનું હૃદય આપી બેઠાં. તેમણે તેમની માતા અદિતીને કહી દીધું કે, "હું વિવાહ કરીશ તો માત્ર રન્નાદે સાથે જ કરીશ !" પરંતુ, આ બિલ્કુલ પણ સરળ ન હતું.

દેવી રાંદલ સાથે વિવાહ કરવા સૂર્યદેવે અજમાવી હતી ગજબ યુક્તિ! જાણો રસપ્રદ કથા
suryadev and randal mata
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 20, 2022 | 6:51 AM

સૂર્યદેવ એટલે તો પ્રત્યક્ષ દેવતા. એવા દેવતા કે જેમના તેજથી જ સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે. વાસ્તવમાં તો સૂર્યદેવ જ પૃથ્વીનું ‘પ્રાણતત્વ’ મનાય છે પણ જો પૂછવામાં આવે કે સ્વયં સૂર્યદેવનું પ્રાણતત્વ કોણ? તો જવાબ મળે કે દેવી રાંદલ! એટલે કે સૂર્યદેવના શ્વાસ તો જાણે દેવી રાંદલમાં જ નિવાસ કરે છે! પુરાણોમાં સૂર્યદેવના પત્ની તરીકે દેવી સંજ્ઞાનો ઉલ્લેખ મળે છે.

જો કે ગુજરાતમાં આ જ દેવી સંજ્ઞા એ માતા રાંદલના નામે પૂજાય છે. સમગ્ર ગુજરાતમાં માતા રાંદલના અનેકવિધ મંદિરો આવેલા છે તો કેટલાક સ્થાન એવા પણ છે કે જ્યાં માતા રાંદલ અને સૂર્યદેવની એકસાથે પૂજા થાય છે. આવું જ એક પાવનકારી સ્થાનક પોરબંદરના બગવદરમાં પણ વિદ્યમાન છે. જ્યાં શ્રદ્ધાળુઓને શ્રીસૂર્યરન્નાદેના એકસાથે આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે.

શ્રદ્ધાળુઓ જ્યારે અહીં શ્રીસૂર્યરન્નાદેના દર્શને આવે છે, ત્યારે તે બંન્નેના વિવાહની કથાનું પણ સ્મરણ કરે છે. સૂર્યદેવતા અને માતા રાંદલના લગ્નગ્રંથીએ જોડાવાની કથા અત્યંત રોચક છે. લોકકથા કંઈક એવી છે કે સૂર્યદેવ તો પ્રથમ નજરે જ વિશ્વકર્માપુત્રી દેવી રાંદલને તેમનું હૃદય આપી બેઠાં. તેમણે તેમની માતા અદિતીને કહી દીધું કે “હું વિવાહ કરીશ તો માત્ર રન્નાદે સાથે જ કરીશ !”

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

પુત્રની ઈચ્છાને વશ થઈ દેવી અદિતિ રન્નાદેની માતા કાંચના પાસે ગયા અને તેમની પુત્રીનો હાથ માંગ્યો પણ કાંચનાએ એમ કહીને ના પાડી દીધી કે સૂર્યદેવ વ્યસ્તતાને લીધે તેમની પુત્રીને સમય નહીં આપી શકે. આખરે સૂર્યદેવે વાયુદેવની મદદ લીધી. રસોઈ કરવાના સમયે જ તેમણે નાળિયેર પાડી દેવી કાંચનાની તાવડી તોડી દીધી. રોટલાની ઉતાવળ હોઈ દેવી કાંચના અદિતી પાસે તાવડી માંગવા ગયા. ત્યારે અદિતીએ કહ્યું, “એમાં શું ! તાવડી ખુશીથી લઈ જાવ. પણ, મારી એક શરત છે. જો તાવડી પરત કરતી વખતે તૂટીને ઠીકરી થઈ, તો તમારી પુત્રી રાંદલ મારી પુત્રવધુ બનશે !”

દેવી કાંચનાને લાગ્યું કે એમ તે તાવડી થોડી તૂટે ! એમણે વચન આપી દીધું. પણ, રસોઈ કર્યા બાદ જ્યારે દેવી કાંચના તાવડી પરત કરવા જઈ રહ્યા હતા, ત્યારે સૂર્યદેવે બે લડતાં આખલા મોકલ્યા. ભયથી કાંચનાના હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ અને શરત અનુસાર સૂર્ય-રન્નાદેના વિવાહ થઈ ગયા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : લઈ લો શ્રીરામનું નામ, હનુમાનજી પૂર્ણ કરશે તમારા દરેક કામ !

આ પણ વાંચો : મહેનત કર્યા પછી પણ નથી મળતું તમને ઈચ્છિત પરિણામ? કાર્યસ્થળ પર અજમાવો આ વાસ્તુ ઉપાય

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">