Dhanteras 2021: ધનતેરસના દિવસે જો ભૂલથી પણ થઈ આ બે ભૂલ, તો ભોગવવી પડશે મોટી નુકસાની !

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, ઘરેણાં, વાસણો વગેરેની ખરીદી કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે જમીન, મકાન વગેરે પણ ખરીદે છે કારણ કે ધનતેરસને સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે.

Dhanteras 2021: ધનતેરસના દિવસે જો ભૂલથી પણ થઈ આ બે ભૂલ, તો ભોગવવી પડશે મોટી નુકસાની !
Dhanteras 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 2:21 PM

Dhanteras 2021: દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે. ધનતેરસ એ એક મોટો તહેવાર છે જે દિવાળી પહેલા આવતો હોય છે. આ દિવસે લોકો ધનના દેવતા કુબેર, દેવી લક્ષ્મી, ધન્વંતરી અને યમરાજની પૂજા કરે છે, સાથે જ ખરીદીનો પણ ટ્રેન્ડ છે. આ વખતે ધનતેરસ 2 નવેમ્બર, મંગળવારે આવી રહી છે.

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, ઘરેણાં, વાસણો વગેરેની ખરીદી કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે જમીન, મકાન વગેરે પણ ખરીદે છે કારણ કે ધનતેરસને સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષી ડૉ. અરવિંદ મિશ્રા અનુસાર, ધનતેરસના દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ, નહીં તો તમારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.

1 – ઉધાર આપવાની કે લેવાની ભૂલ ન કરો જ્યોતિષાચાર્ય કહે છે કે ધનતેરસનો દિવસ સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. તેથી, આ દિવસે ઉધાર આપવું અને લેવું બંને અશુભ માનવામાં આવે છે કારણ કે ન તો ઉધાર લેનારને ફળ મળે છે અને ન આપનારને. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ સ્થિતિમાં વ્યક્તિને તમામ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં હંમેશા અપૂરતા પૈસા હોય છે, જેના કારણે પરિવારમાં અન્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે. તેથી, ધનતેરસ પર ઉધાર આપવાનું અને લેવાનું કામ ક્યારેય ન કરવું જોઈએ.

2 આટલી વસ્તુઓ ખરીદવાનું ટાળો ધનતેરસના દિવસે કેટલાક લોકો સ્ટીલના વાસણો ખરીદે છે, પરંતુ જ્યોતિષીઓનું કહેવું છે કે સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ કારણ કે તેમાં લોખંડ પણ હોય છે. લોખંડનો સંબંધ શનિ સાથે છે. જો તમારે વાસણો ખરીદવા હોય તો પિત્તળના વાસણો લેવા. સાથે જ વાસણમાં ચોખા અથવા કોઈ પણ મીઠી વસ્તુ ભરીને ઘરમાં લાવો. આવું કરવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે.

આ સિવાય ધનતેરસના દિવસે ચાકુ, કાતર, કાચના વાસણો, તાંબુ, ચામડું અથવા કોઈ પણ કાળા રંગની વસ્તુઓ કે ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધે છે. પારિવારિક સંબંધો બગડે છે.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

 આ પણ વાંચો: દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન ચાલું, ભાજપ અને શિવસેનાના નેતા વચ્ચે ખરાખરીનો જંગ

આ પણ વાંચો: ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોની કફોડી હાલત, દાંતીવાડા ડેમનું પાણી સિંચાઇ માટે નહિ મળે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">