AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaturmas : ચાતુર્માસના આ 5 નિયમ બદલી શકે છે તમારી કિસ્મત ? જાણો

હિંદુ ધર્મમાં ચાતુર્માસને ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમયગાળો. જેમાં ભક્તો ઉપવાસ, જપ, ધ્યાન અને ધાર્મિક અનુષ્ઠાન દ્વારા આત્મશુદ્ધિનો પ્રયાસ કરે છે.

Chaturmas : ચાતુર્માસના આ 5 નિયમ બદલી શકે છે તમારી કિસ્મત ? જાણો
ChaturmasImage Credit source: AI Generated
| Updated on: Aug 01, 2026 | 12:17 PM
Share

હિંદુ ધર્મમાં ચાતુર્માસને ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમયગાળો. જેમાં ભક્તો ઉપવાસ, જપ, ધ્યાન અને ધાર્મિક અનુષ્ઠાન દ્વારા આત્મશુદ્ધિનો પ્રયાસ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં જાય છે અને કાર્તિક મહિનાની પ્રબોધિની એકાદશીના દિવસે જાગે છે. આ ચાર મહિના એટલે કે શ્રાવણ, ભાદો, આસો અને કારતક ચાતુર્માસ તરીકે ઓળખાય છે.

શું વિષ્ણુ ભગવાન ખરેખર ઊંઘી જાય છે?

પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ભગવાન વિષ્ણુ ખરેખર ઊંઘી જતા નથી. આ યોગનિદ્રા એટલે એક ગહન ધ્યાનની સ્થિતિ છે. જે ભગવાન સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે, તેઓ કેવી રીતે ઊંઘી શકે? ધાર્મિક માન્યતા અનુસાર, ચાતુર્માસમાં સૃષ્ટિની રક્ષા કરવાની મુખ્ય જવાબદારી ભગવાન શિવ સંભાળે છે. એટલા માટે ચાતુર્માસનો પહેલો મહિનો શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.

ચાતુર્માસ આત્મસુધારણા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે

ચાતુર્માસનો સમય માત્ર ધાર્મિક વિધિઓ માટે જ નહીં પરંતુ આત્મસુધારણા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિએ પોતાની ખરાબ આદતો છોડવાનો સંકલ્પ લેવો જોઈએ. સાત્વિક આહાર લેવો જોઈએ. નિયમિત જપ અને ધ્યાન કરવું જોઈએ.

ચાતુર્માસ દરમિયાન કેટલાક ખાસ આહાર નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. માન્યતા અનુસાર:

  1. શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ત્યાગ કરવામાં આવે છે.
  2. ભાદોમાં દહીં અને દહીંથી બનેલી વસ્તુઓ જેમ કે છાશ, લસ્સી અને કઢીનો ત્યાગ કરવામાં આવે છે.
  3. આસો મહિનામાં દૂધનો ત્યાગ કરવામાં આવે છે.
  4. કારતક મહિનામાં અડદની દાળનો ત્યાગ કરવામાં આવે છે.

આ નિયમો પાછળ ધાર્મિક અને આયુર્વેદિક કારણ જોડાયેલું છે. ચોમાસાની ઋતુ દરમિયાન પાચનશક્તિ નબળી પડે છે. કેટલીક વસ્તુઓ શરીર માટે ભારે હોઈ શકે છે. આપણા ઋષિ મુનિઓએ ઋતુ પ્રમાણે ડાયટના નિયમો બનાવ્યા હતા. જેથી શરીર સ્વસ્થ રહી શકે.

ચાતુર્માસનો સાચો સંદેશ શું છે?

ચાતુર્માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો સામાન્ય રીતે કરવામાં આવતા નથી. પરંતુ જપ, તપ, વ્રત, પૂજા અને ભક્તિ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાતુર્માસનો સાચો સંદેશ એ છે કે આ સમય બહારના દેખાવ કરતાં અંદરના પરિવર્તનનો છે. જ્યારે દેવતાઓ યોગનિદ્રામાં હોય છે, ત્યારે મનુષ્યએ પોતાના અંદરના સારા ગુણોને જાગૃત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સંયમ, સકારાત્મક વિચાર અને ભક્તિ દ્વારા જીવનને વધુ સારું બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, 3, 5 કે 11 પાન? માન્યતા મુજબ શિવલિંગ પર કેટલા અને કઈ રીતે બીલીપત્ર ચઢાવવાથી મહાદેવ થાય છે પ્રસન્ન! જાણો

Follow Us
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">