Chaitra Navratri 2023 : મા સ્કંદમાતાની આરાધનાનો મહામંત્ર, જાપ કરવાથી થશે વિઘ્નો દુર

Chaitra Navratri 2023: નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આજે પૂજા કરવા સિવાય મંત્ર જાપ કરવાથી તમારી પરેશાનીઓ દૂર થાય છે. આવો જાણીએ આ દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.

Chaitra Navratri 2023 : મા સ્કંદમાતાની આરાધનાનો મહામંત્ર, જાપ કરવાથી થશે વિઘ્નો દુર
Chaitra Navratri 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 1:50 PM

મા દુર્ગાની આરાધનાનો વિશેષ તહેવાર એટલે કે નવરાત્રીનું ધાર્મિક મહત્વ ઘણું છે. શક્તિ ઉપાસનાના આ નવ દિવસો દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન કળશ સ્થાપના, દુર્ગા સપ્તશતીનું પઠન અને ભજન કીર્તન જેવી ઘણી ધાર્મિક વિધિઓ મહત્વપૂર્ણ છે. આ સિવાય આ નવ દિવસોમાં મંત્રોનો જાપ પણ લાભદાયક માનવામાં આવે છે. જો તમે નિઃસંતાન છો અને તેની સાથે જોડાયેલ સુખ મેળવવા માંગો છો, તો મા સ્કંદમાતાની પૂજા તમારા માટે વિશેષ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય પણ કેટલાક એવા મંત્રો છે, જેના જાપ કરવાથી તમને અન્ય ઘણી રીતે લાભ મળશે. ચાલો જાણીએ માતાને પ્રસન્ન કરવા સંબંધિત કેટલાક મંત્રો અને પૂજાના શુભ સમય વિશે.

નવરાત્રીમાં આ મંત્રોનો જાપ કરો

ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિમાં પૂજા કરવા ઉપરાંત મંત્રોના જાપથી પણ ભક્તોને વિશેષ લાભ મળે છે. માતાના આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે આ મંત્રોનો જાપ કરો.

ॐ ऐं ही क्लीं चामुण्डायै विच्चे ॐ स्कंदमातेति नमः

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

ॐ देवी स्कन्दमातायै नम:

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया। शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥

ॐ स्कन्दमात्रै नम:

या देवी सर्वभूतेषु मां स्कंदमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

મા સ્કંદમાતા પૂજાનું મહત્વ

હિન્દુ ધર્મમાં નવરાત્રી પૂજાના વિશેષ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. મા દુર્ગીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે,સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માતા રાણી ભક્તોથી પ્રસન્ન થાય છે જેઓ નવરાત્રિનું વ્રત રાખે છે અને તમામ નિયમો અને ઉપાયોનું પાલન કરે છે.આમ કરવાથી વ્યક્તિના તમામ પાપ પણ ધોવાઈ જાય છે. માતા સ્કંદમાતાની પૂજા કરવાથી સંતાન સંબંધી સુખ પણ પ્રાપ્ત થાય છે. આ સિવાય જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Latest News Updates

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">