AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratri 2023 : મા સ્કંદમાતાની આરાધનાનો મહામંત્ર, જાપ કરવાથી થશે વિઘ્નો દુર

Chaitra Navratri 2023: નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આજે પૂજા કરવા સિવાય મંત્ર જાપ કરવાથી તમારી પરેશાનીઓ દૂર થાય છે. આવો જાણીએ આ દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.

Chaitra Navratri 2023 : મા સ્કંદમાતાની આરાધનાનો મહામંત્ર, જાપ કરવાથી થશે વિઘ્નો દુર
Chaitra Navratri 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 1:50 PM
Share

મા દુર્ગાની આરાધનાનો વિશેષ તહેવાર એટલે કે નવરાત્રીનું ધાર્મિક મહત્વ ઘણું છે. શક્તિ ઉપાસનાના આ નવ દિવસો દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન કળશ સ્થાપના, દુર્ગા સપ્તશતીનું પઠન અને ભજન કીર્તન જેવી ઘણી ધાર્મિક વિધિઓ મહત્વપૂર્ણ છે. આ સિવાય આ નવ દિવસોમાં મંત્રોનો જાપ પણ લાભદાયક માનવામાં આવે છે. જો તમે નિઃસંતાન છો અને તેની સાથે જોડાયેલ સુખ મેળવવા માંગો છો, તો મા સ્કંદમાતાની પૂજા તમારા માટે વિશેષ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય પણ કેટલાક એવા મંત્રો છે, જેના જાપ કરવાથી તમને અન્ય ઘણી રીતે લાભ મળશે. ચાલો જાણીએ માતાને પ્રસન્ન કરવા સંબંધિત કેટલાક મંત્રો અને પૂજાના શુભ સમય વિશે.

નવરાત્રીમાં આ મંત્રોનો જાપ કરો

ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિમાં પૂજા કરવા ઉપરાંત મંત્રોના જાપથી પણ ભક્તોને વિશેષ લાભ મળે છે. માતાના આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે આ મંત્રોનો જાપ કરો.

ॐ ऐं ही क्लीं चामुण्डायै विच्चे ॐ स्कंदमातेति नमः

ॐ देवी स्कन्दमातायै नम:

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया। शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥

ॐ स्कन्दमात्रै नम:

या देवी सर्वभूतेषु मां स्कंदमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

મા સ્કંદમાતા પૂજાનું મહત્વ

હિન્દુ ધર્મમાં નવરાત્રી પૂજાના વિશેષ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. મા દુર્ગીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે,સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માતા રાણી ભક્તોથી પ્રસન્ન થાય છે જેઓ નવરાત્રિનું વ્રત રાખે છે અને તમામ નિયમો અને ઉપાયોનું પાલન કરે છે.આમ કરવાથી વ્યક્તિના તમામ પાપ પણ ધોવાઈ જાય છે. માતા સ્કંદમાતાની પૂજા કરવાથી સંતાન સંબંધી સુખ પણ પ્રાપ્ત થાય છે. આ સિવાય જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">