AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratri 2022: આ નવરાત્રીમાં સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આ વાસ્તુ ટિપ્સ અનુસરો

Chaitra Navratri 2022: વાસ્તુ એ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ મહત્વ છે. ઘરમાં વસ્તુઓ કઈ દિશામાં રાખો છો? તેનો અર્થ ઘણો થાય છે. આ વસ્તુઓ ઉર્જા મુક્ત કરે છે. આ ઉર્જા હકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે.

Chaitra Navratri 2022: આ નવરાત્રીમાં સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આ વાસ્તુ ટિપ્સ અનુસરો
Chaitra Navratri Vastu tips (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 2:02 PM
Share

ચૈત્ર નવરાત્રીએ સૌથી શુભ તહેવારોમાંનો એક છે. 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri)નો પ્રારંભ થયો હતો. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારની તૈયારીઓ થોડા દિવસો પહેલા જ શરૂ કરી દે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન (Chaitra Navratri 2022) દેવી દુર્ગાની પૂજા ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે. સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરોમાં વાસ્તુ દોષ હોય છે, તેઓ નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાય કરી શકે છે. આ વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદ કરે છે. આ વાસ્તુ ટિપ્સ (Vastu Tips)થી તમને મા દુર્ગાના આશીર્વાદ મળશે. આ તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. ચાલો જાણીએ કે તમે કઈ વાસ્તુ ટિપ્સ ફોલો કરી શકો છો.

મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરો

ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક (સાથિયો) બનાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેનાથી નકારાત્મકતા અને રોગો દૂર થાય છે. તે બધા સભ્યોને ખુશ અને સ્વસ્થ રાખે છે. સ્વસ્તિક બનાવવા માટે ચોખા સાથે લાલ કે પીળા રંગનો ઉપયોગ કરો.

અખંડ જ્યોત

અખંડ જ્યોત વિના નવરાત્રી પૂજા અધૂરી છે, એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતને બાળવું શુભ છે. તેનાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. અત્રે એ બાબત નોંધ લેવી કે અખંડ જ્યોત ક્યારેય જમીન પર ન મુકવી જોઈએ.

ઘરમાં તુલસીનો છોડ ઉગાડો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનું ઘણું મહત્વ છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો.

મંદિરમાં ફૂલ સાથે કળશ રાખો

નવરાત્રિના પહેલા દિવસે તમારા મંદિરમાં પાણી અને ફૂલોથી ભરેલો કળશ રાખો. નવમીના દિવસે આ પાણીને આખા ઘરમાં છાંટો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે.

કન્યા પૂજા માટે ભોગ તૈયાર કરો

અષ્ટમી અથવા નવમી પર તમારા ઘરમાં કન્યાની પૂજા કરો. પૂજા દરમિયાન પૂર્વ કે પશ્ચિમ દિશામાં મુખ રાખીને કન્યાઓને ભોજન કરાવો. તેનાથી તમારા ઘરના વાસ્તુ દોષ દૂર થશે.

આંબાના પાન બાંધો

ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાન બાંધો. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. તાજા આંબાના પાન લો. તેમને સારી રીતે ધોઈ લો. તેને લાલ દોરામાં બાંધો. તેને મુખ્ય દ્વાર પર બાંધો.

આ પણ વાંચો :Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ રાજપક્ષેનો રાજીનામાંથી ઈનકાર, આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ અત્યાર સુધી છાપ્યા 432 અરબ રૂપિયા

આ પણ વાંચો :NEET UG 2022: NEETની પરીક્ષા ભારતની બહાર આ 14 શહેરોમાં પ્રથમ વખત યોજાશે, જાણો તમામ વિગતો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">