Chaitra Navratri 2022: આ નવરાત્રીમાં સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આ વાસ્તુ ટિપ્સ અનુસરો

Chaitra Navratri 2022: વાસ્તુ એ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ મહત્વ છે. ઘરમાં વસ્તુઓ કઈ દિશામાં રાખો છો? તેનો અર્થ ઘણો થાય છે. આ વસ્તુઓ ઉર્જા મુક્ત કરે છે. આ ઉર્જા હકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે.

Chaitra Navratri 2022: આ નવરાત્રીમાં સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આ વાસ્તુ ટિપ્સ અનુસરો
Chaitra Navratri Vastu tips (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 2:02 PM

ચૈત્ર નવરાત્રીએ સૌથી શુભ તહેવારોમાંનો એક છે. 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri)નો પ્રારંભ થયો હતો. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારની તૈયારીઓ થોડા દિવસો પહેલા જ શરૂ કરી દે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન (Chaitra Navratri 2022) દેવી દુર્ગાની પૂજા ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે. સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરોમાં વાસ્તુ દોષ હોય છે, તેઓ નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાય કરી શકે છે. આ વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદ કરે છે. આ વાસ્તુ ટિપ્સ (Vastu Tips)થી તમને મા દુર્ગાના આશીર્વાદ મળશે. આ તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. ચાલો જાણીએ કે તમે કઈ વાસ્તુ ટિપ્સ ફોલો કરી શકો છો.

મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરો

ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક (સાથિયો) બનાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેનાથી નકારાત્મકતા અને રોગો દૂર થાય છે. તે બધા સભ્યોને ખુશ અને સ્વસ્થ રાખે છે. સ્વસ્તિક બનાવવા માટે ચોખા સાથે લાલ કે પીળા રંગનો ઉપયોગ કરો.

અખંડ જ્યોત

અખંડ જ્યોત વિના નવરાત્રી પૂજા અધૂરી છે, એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતને બાળવું શુભ છે. તેનાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. અત્રે એ બાબત નોંધ લેવી કે અખંડ જ્યોત ક્યારેય જમીન પર ન મુકવી જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘરમાં તુલસીનો છોડ ઉગાડો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનું ઘણું મહત્વ છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો.

મંદિરમાં ફૂલ સાથે કળશ રાખો

નવરાત્રિના પહેલા દિવસે તમારા મંદિરમાં પાણી અને ફૂલોથી ભરેલો કળશ રાખો. નવમીના દિવસે આ પાણીને આખા ઘરમાં છાંટો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે.

કન્યા પૂજા માટે ભોગ તૈયાર કરો

અષ્ટમી અથવા નવમી પર તમારા ઘરમાં કન્યાની પૂજા કરો. પૂજા દરમિયાન પૂર્વ કે પશ્ચિમ દિશામાં મુખ રાખીને કન્યાઓને ભોજન કરાવો. તેનાથી તમારા ઘરના વાસ્તુ દોષ દૂર થશે.

આંબાના પાન બાંધો

ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાન બાંધો. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. તાજા આંબાના પાન લો. તેમને સારી રીતે ધોઈ લો. તેને લાલ દોરામાં બાંધો. તેને મુખ્ય દ્વાર પર બાંધો.

આ પણ વાંચો :Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ રાજપક્ષેનો રાજીનામાંથી ઈનકાર, આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ અત્યાર સુધી છાપ્યા 432 અરબ રૂપિયા

આ પણ વાંચો :NEET UG 2022: NEETની પરીક્ષા ભારતની બહાર આ 14 શહેરોમાં પ્રથમ વખત યોજાશે, જાણો તમામ વિગતો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">