AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratri 2022: રાશિ પ્રમાણે દેવી દુર્ગાને ચઢાવો આ રંગના ફૂલ, બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

Chaitra Navratri 2022: ચૈત્ર નવરાત્રીનો તહેવાર 2 એપ્રિલથી શરૂ થયો છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. મા દુર્ગાની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. રાશિ પ્રમાણે મા દુર્ગાને કયા રંગના ફૂલ ચઢાવવા શુભ માનવામાં આવે છે, ચાલો જાણીએ.

Chaitra Navratri 2022: રાશિ પ્રમાણે દેવી દુર્ગાને ચઢાવો આ રંગના ફૂલ, બધી ઈચ્છાઓ થશે પૂર્ણ
Chaitra Navratri 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 3:09 PM
Share

2જી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. આ દરમિયાન મા દુર્ગાના ભક્તો ઉપવાસ રાખે છે અને ભક્તિ સાથે પૂજા કરે છે (Chaitra Navratri). મા દુર્ગાને ફળ અને ફૂલ ચઢાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા ફૂલો વિના અધૂરી માનવામાં આવે છે. આ દરમિયાન રાશિ પ્રમાણે મા દુર્ગાને ફૂલ ચઢાવવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી મા દુર્ગા (Chaitra Navratri) પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. રાશિ પ્રમાણે તમારે મા દુર્ગાને કયા રંગના ફૂલ  અર્પણ કરવા જોઈએ, ચાલો જાણીએ.

મેષ રાશિ

મંગળને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોએ માતા દુર્ગાને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્રને સફેદ રંગ ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં તમારે મા દુર્ગાને સફેદ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

મિથુન રાશિ

આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધને પીળા રંગ સાથે સંબંધ છે. મિથુન રાશિના લોકોએ મા દુર્ગાને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ.

કર્ક રાશિ

આ રાશિના લોકોએ દેવી દુર્ગાને કમળ અને ચમેલીના ફૂલ અર્પણ કરવા જોઈએ.

સિંહ રાશિ

આ રાશિનો સ્વામી સૂર્ય દેવ માનવામાં આવે છે. આ રાશિના જાતકોએ માતાને લાલ કે નારંગી રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

કન્યા રાશિ

આ રાશિનો સ્વામી બુધ ગ્રહ માનવામાં આવે છે. આ રાશિના જાતકોએ દેવી માતાને લીલા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

તુલા રાશિ

આ રાશિનો સ્વામી શુક્ર છે. તેથી આ રાશિના લોકોએ દેવી માતાને સફેદ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોએ મા દુર્ગાને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

ધન રાશિ

ગુરુ આ રાશિનો સ્વામી છે. પીળો રંગ ગુરુને ખૂબ પ્રિય છે. આ રાશિના જાતકોને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

મકર રાશિ

આ રાશિના સ્વામી શનિદેવ છે. તેને વાદળી રંગ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં તમે દેવી દુર્ગાને અપરાજિતાના વાદળી ફૂલો અર્પણ કરી શકો છો.

કુંભ રાશિ

આ રાશિના જાતકોએ માતાજીને વાદળી રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

મીન રાશિ

મીન રાશિના લોકોને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો : Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી

આ પણ વાંચો : Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">