AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

પ્રથમ અકસ્માતમાં નીચે પડ્યો હોય તેવી હકીકત મળતા મૃતકના પરિવારજનો લાશ લઈને વતન નીકળી ગયા હતા. વતનમાં અગ્નિ સંસ્કાર કર્યા બાદ મૃતકના પિતાને હત્યા થઈ હોવાની જાણ થતાં તેણે સુરત આવી પોલીસને સમગ્ર હકીકત જણાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો.

Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો
Symbolic image
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 03, 2022 | 1:52 PM
Share

સુરત (Surat) ના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર સોસાયટીમાં કામ અર્થે ગયેલ યુવકને કેટલાક ઈસમો દ્વારા બીજા માળેથી નીચે ફેંકી દઈને હત્યા (Murder) કરવામાં આવી હતી જે ઘટનામાં નજીકના લોકો દ્વારા હત્યા થઈ હોવાની જાણ થતાં પ્રથમ પોલીસ (Police) અકસ્માત અને ત્યારબાદ હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. છોકરીને ભગાડવામાં આવી હોવાની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બની ત્યારે અકસ્માતમાં નીચે પડ્યો હોય તેવી હકીકત મળતા પોલીસે અકસ્માત (Accident)  મોતની નોંધ કરી હતી, પણ પાછળથી પરિવારજનોને હત્યાની જાણ થતાં પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.

સુરતના અમરોલી કોસાડ ખાતે એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતા સતીશ કુશવાહ કામ અર્થે વરાછા ઘનશ્યામ નગર ખાતે અન્ય મિત્રોને મળવા આવ્યો હતો જ્યાં કેટલાક ઈસમો આવી પોહચ્યા હતા અને બીજા માળે લઈ જઈને ઉપરથી નીચે ફેંકી દીધો હતો અને ત્યારબાદ નીચે આવીને માર મારી હત્યા કરી નાસી ગયા હતા. જોકે પ્રથમ અકસ્માતમાં નીચે પડ્યો હોય તેવી હકીકત મળતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી અને મૃતકના પરિવારજનો લાશ લઈને વતન નીકળી ગયા હતા.

વતનમાં અગ્નિ સંસ્કાર કર્યા બાદ નજીક ના લોકો દ્વારા મૃતકના પિતાને હત્યા થઈ હોવાની જાણ કરી હતી જે બાબતે મૃતકના પિતા સુરત આવી વરાછા પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી અને જે મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક તેમના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો અને ભગાડી લઈ ગયો હતો ત્યારબાદ પોલીસે પકડી પાડતા જેલમાં ગયો હતો જે ઘટના બે વખત બની હતી અને ત્યારબાદ યુવક જામીન પર છૂટી સુરત વ્યવસાય અર્થે આવી ગયો હતો.

જોકે યુવતીએ પરિવારજનો સાથે જવાની ના કહેતા યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી જે અદાવતમાં સાડા ત્રણ વર્ષ બાદ બદલો લેવાની ભાવના સાથે અને પોતાની દીકરી તેમનાથી અલગ થઈ ગઈ હોય જેની અદાવત રાખીને સતિષની હત્યા કરી દેવામાં આવી હતી જે મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ત્રણ વર્ષ પહેલાંની અદાવત રાખીને માં હત્યા મૃતકના પિતાના આક્ષેપ છે ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાએ ગામની એક યુવતીને ભગાડી ને લઇ ગયો હતો આવી રીતે બે વખત ભગડી ને ગયો જતો બાદમાં દીકરી પોતાના પરિવારથી દૂર થઈ ગઈ હતી બાદ માં મારો દીકરી એકલો સુરત ખાતે અર્થે આવ્યો હતો જોકે આની અદાવત રાખીને દીકરીના પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદની હવામાં ઝેર! પ્રદૂષણમાં મુંબઈ, દિલ્હીને અમદાવાદે છોડ્યું પાછળ, એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 પર પહોંચ્યો

આ પણ વાંચોઃ Gandhinagar: કલોલમાં મહિલા શિક્ષિકાના અપહરણના કેસમાં સ્થાનિક પોલીસ, LCB અને SOGએ શરૂ કરી તપાસ, CCTVના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">