શું આપ પનોતીથી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન

શનિદેવની પૂજા દરમિયાન કેટલીક ખાસ સાવધાની રાખવી જોઈએ. દાનથી પણ પનોતીની પરેશાનીમાંથી મુક્તિ અપાવે છે શનિમહારાજ.

શું આપ પનોતીથી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન
પનોતીની પરેશાનીમાંથી મુક્તિ અપાવે છે શનિમહારાજ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 15, 2021 | 11:26 AM

શનિદેવ (SHANIDEV)  એટલે તો ધર્મ અને ન્યાયના દેવતા. શનિ દેવ એટલે તો મોક્ષના દાતા. સુખ, સંપતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવતા દેવ એટલે શનિદેવ. એવું કહેવાય છે કે સૂર્ય પુત્ર શનિને પ્રસન્ન કરવા એ કોઈ સહેલું કામ નથી. એવું કહેવાય છે કે જે વ્યક્તિએ શનિદેવને પ્રસન્ન કરી લીધા તેમના પર શનિ દેવના અઢળક આશીર્વાદની વૃષ્ટિ થાય છે. શનિ દેવ તેના ભક્તોની રોજગાર, વ્યવસાય, ધન, ધાન્ય, સ્વાસ્થ્ય સંબંધી તમામ સમસ્યાઓને દુર કરે છે.

એવું કહેવાય છે કે શનિ દેવને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ એક અઘરી પરિક્ષામાંથી પસાર થવું પડે છે, ખાસ તો એવા લોકો કે જેઓ સાડાસાતી અને પનોતીથી પરેશાન છે. ત્યારે આજે અમે આપને શનિદેવને પ્રસન્ન કરવાની સંપૂર્ણ રીતથી વાકેફ કરાવીશું. અમે આજે આપને જણાવીશું કે શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા શું કરશો. અને હા, ખાસ તો આજે એ પણ જાણીશું કે શનિમહારાજ ની પૂજા દરમિયાન કઈ ભૂલ ક્યારેય ન કરવી.

આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવા શું કરવું: 1. સૌથી પહેલાં તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પર શનિદેવની મૂર્તિની પાસે તેલ ચડાવવું અથવા તો તેને ગરીબોને દાન કરી દેવું જોઈએ. શનિ દેવને તેલ અર્પણ કરતી વખતે ખાસ ખ્યાલ રાખો કે તે આજુ બાજુ ઢોળાય નહી. 2. આજના દિવસે એટલે કે શનિવારે કીડીને તલ અને ગોળ ખવડાવવો જોઈએ. એવું કહેવાય છે કે શનિ દેવને તેલ અને તલ અત્યંત પ્રિય છે. ત્યારે આ વસ્તુઓનું આપ દાન પણ કરી શકો છો. એવું કહેવાય છે માટીના વાસણમાં સરસવનું તેલ ભરી તેનું દાન કરવામાં આવે તો આપના જિવનના તમામ દુષ્પ્રભાવ દુર થાય છે અને જિવનમાં શાંતી સ્થિર થાય છે. 3. શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે ચામડાના જુતાનું પણ દાન કરવું જોઈએ. 4. પનોતી નિવારવા અને શનિ માહારાજને પ્રસન્ન કરવા માટે પીપળા અને શમીના વૃક્ષનું પૂજન કરવું. 5. અને અંતે શનિદેવના કોઈ પણ મંત્રનો જાપ કરવાથી જિવનના તમામ સંકટોનું શમન થઈ જતું હોવાની માન્યતા છે. આપ શનિ દેવનો જે પણ મંત્ર જાણતા હોય તેનો જાપ કરવો. શનિ દેવના મંત્રના જાપ માત્રથી જ સાડાસાતી અને પનોતી દુર થઈ જાય છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આવો હવે જાણીએ શનિદેવની પૂજા વિધિમાં કઈ કઈ બાબતોનું રાખશો ધ્યાન:

1. શનિ દેવની પૂજા સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદય પછી જ કરવી. 2. શનિ દેવની પૂજા પહેલા સ્નાન અવશ્ય કરવું અને સ્વચ્છ કપડા જ પહેરવાં. 3. શનિદેવના પૂજન દરમિયાન સરસવનું તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરવો. 4. શનિદેવની પૂજા પીપળાના વૃક્ષની નીચે કરવી. 5. પૂજા દરમિયાન ભૂરા અથવા કાળા રંગના આસનનો ઉપયોગ કરવો. 6. શનિ દેવની પૂજા હંમેશા શાંત મનથી આસ્થા સાથે કરવી. 7. યાદ રાખો શનિદેવની મૂર્તિની સામે ક્યારેય ઉભું ન રહેવું. હંમેશા એવા મંદિરમાં જવું કે જ્યાં શનિમહારાજ શિલા રૂપે બિરાજમાન હોય. માનવામાં આવે છે કે જો કેટલીક સાવધાની સાથી શનિદેવનું પૂજન કરવામાં આવે તો ચોક્કસ શનિદેવ પ્રસન્ન થાય છે.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">