Astrology latest News: કુંભ રાશિમાં શનિ મહારાજનાં ભ્રમણને લઈને કદાચ આપ સહુ તો માહિતગાર હશો જ પરંતુ 100 વર્ષ પછી શનિ મહારાજ(Shani Maharaj)ને રિઝવવા માટેનો એ દિવસ આપી પહોચ્યો છે કે જે જવલ્લે આવે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે 30 વર્ષ પછી શનિ દેવ પોતાની જ રાશિ કુંભ(Aquarius)માં પ્રવેશ કરવા જઇ રહ્યા છે, 29 એપ્રિલના રોજ શનિનું રાશિ પરિવર્તન અને તેના બીજા જ દિવસે 30 તારીખે શનૈશ્વરી અમાસ(Shanaishwari Amas) અને એપ્રિલમાં પાંચ શનિવાર હોવાનો સંયોગ આ તમામ યોગ શનિના શુભ બળનો સંકેત આપે છે જે વિશેષ કૃપા પ્રાપ્ત કરાવે છે શાસ્ત્રોમાં પણ શનિને રિઝવવા શનિવાર કે અમાસના યોગને સુચવવામાં આવે છે
જયોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ને રિઝવવા ખુબ કઠિન છે જેમ શનિ વક્ર દૃષ્ટિ કરે કે શનિ બગડે કે પનોતી માં દંડ આપે ત્યારે લોકોને આસમાને થી જમીન પર લાવી દેછે ત્યારે તેમને ખુશ કરવા જરૂરી બને છે. શાસ્ત્રો મુજબ શનિ દેવ શનિવાર ના અધિપતિ છે તેમ કુંભરાશી ના પણ સ્વામી છે અને પોતે રાત્રિ બલી કહેવાય છે અને અમાસ ને મહરાત્રી કહેવાય છે માટે જ્યારે પણ શનિવારે અમાસ હોય તેને શનિઅમાવસ્યા , તરીકે ઉજવવા માં આવે છે પ્રાચીન સમય શનિ કૃપા પ્રાપ્ત કરવા શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે આ દિવસે શનિદેવ ખૂબ ખુશ હોય છે આ સમયે કરેલી શનિ મહારાજની પૂજા કે સચોટ ઉપાયો કરવાથી શનદેવને ઝડપી રિઝવી શકાય છે કારણ શનિમહારાજ આ દિવસે ખૂબ ખુશ અને બળવાન સ્થિતિમાં રહે છે.
જ્યોતિષી ચેતનભાઇ પટેલનાં જણાવ્યા મુજબ જે જાતકોને પનોતી શરૂ થઈ હોય તેણે અને જે લોકો પર શનિની અશુભ અસર હોય તેમણે તથા જે લોકોને કુંડળી માં શનિ અશુભ હોય નીચનો કે શત્રુ ક્ષેત્રી હોય અને આ સમયે કષ્ટ કે પીડા આપતો હોય જેવા કે દગો ફટકો લડાઈ-ઝઘડા કોર્ટ-કચેરી નુકશાની , કર્જ કે દેવું ,લગ્ન વિલંબ લગ્ન જીવનમાં ક્લેશ ,કાર્યમાં રુકાવટ , કૌટુંબિક ક્લેશ વેર ઝેર , કે એકાએક શારીરિક માનસિક સમસ્યા, વાયુ ને લગતા રોગો ડાયાબિટીસ, પ્રેશર, સાંધાના દુખાવા, હાર્ટ પ્રોબ્લેમ, આ સમસ્યા હોય તેમણે તથા જે રાશિના લોકો હાલમાં નાની પનોતી શરૂ થઈ છે તેવી કર્ક રાશિ, અને વૃશ્ચિક રાશિ એ તથા મોટી પનોતી શરૂ થઈ છે તેવી મકર, કુંભ અને મીન રાશિએ પણ શનિ દેવને રિઝવવા શાસ્ત્રોકત ઉપાયો કરવા જોઈએ
આવા ઉપાયો આ દિવસે સંકલ્પ કરી કરવાથી શનિદેવને રીઝવી શકાય છે અને તે ખુશ થઇ જાય છે અને તેમની કૃપાથી કષ્ટો, પીડા અને સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે ભલભલા શુભ સમયમાં પણ આંચ નથી આવતી તકલીફોમાં માર્ગ મળે છે
Published On - 2:15 pm, Tue, 26 April 22