સૂર્યગ્રહણના કારણે આજે ગુજરાતના તમામ મંદિરો બંધ, જાણો ક્યારે અને કેટલા વાગે મંદિર ખુલશે

સૌરાષ્ટ્રના (Saurashtra) મંદિરની વાત કરીએ તો, દ્વારકા, સોમનાથ અને વીરપુર મંદિર ભક્તો માટે બંધ રહેશે. સૂર્યગ્રહણનો વેદ લાગતો હોવાથી પાવાગઢ અને અંબાજી મંદિર રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે.

સૂર્યગ્રહણના કારણે આજે ગુજરાતના તમામ મંદિરો બંધ, જાણો ક્યારે અને કેટલા વાગે મંદિર ખુલશે
અંબાજી મંદિરImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 10:35 AM

25મી ઓક્ટોબરે એટલે કે આજે દેશ અને દુનિયામાં આંશિક સૂર્યગ્રહણ (Solar Eclipse) થવાનું છે. આ ગ્રહણ ભારતના કેટલાક શહેરોમાંથી જોઈ શકાશે. ભારતમાં સૂર્ય ગ્રહણને કારણે સૂતક લાગતુ હોવાની માન્યતા છે. ત્યારે ભારતમાં (India) આજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ હોવાથી ગુજરાતના (Gujarat)  મોટાભાગના મંદિરો બંધ રહેશે. સાંજે 4 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થવાના કારણે ભક્તો માટે રાત્રે 9 વાગ્યા સુધી મંદિરો (Temples) બંધ રહેશે.

સૌરાષ્ટ્રના મંદિરની વાત કરીએ તો, દ્વારકા, સોમનાથ અને વીરપુર મંદિર ભક્તો માટે બંધ રહેશે. સૂર્યગ્રહણનો વેદ લાગતો હોવાથી પાવાગઢ અને અંબાજી મંદિર રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવશે. બહુચરાજી અને શંખલપુર મંદિર સાંજે સાડા સાત વાગ્યા સુધી બંધ. વડનગરમાં પણ હાટકેશ્વર મંદિર રહેશે. પ્રક્ષાલન વિધિ બાદ ભક્તો મંદિરોમાં આરતીના દર્શન કરી શકશે. ગ્રહણ મોક્ષ બાદ તમામ મંદિરોમાં પૂજા અને આરતી યથાવત્ કરવામાં આવશે. બીજી તરફ સૂર્યગ્રહણને લઈ શહેરના મંદિરોમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ક્યારે લાગશે સૂતક ?

સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે એટલે ભારતમાં 25 ઓક્ટોબરે સવારે 4 વાગ્યે સૂતક લાગશે અને જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે સૂતક પણ પૂર્ણ થઈ જશે. સૂતક દરમિયાન તમામ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવામાં આવશે. જેથી મંદિરો બંધ રહેશે અને ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરનું શુદ્ધિકરણ કરી મંદિરોમાં દર્શન કરી શકાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાશે

ઉલ્લેખનીય છે કે આ સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાશે. 24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી અને 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે. આમ દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે સૂર્યગ્રહણ થશે. આ દરમિયાન 1300 વર્ષ બાદ 4 ગ્રહોનો દુર્લભ યોગ રચાશે. જેમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ પોત-પોતાની રાશિમાં હશે. આ દુર્લભ યોગને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ મહત્વનો માનવામાં આવે છે.

આંશિક સૂર્યગ્રહણ શું છે?

સૂર્ય તેની ભ્રમણકક્ષામાં ફરતો રહે છે, પરંતુ જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે આપણે સૂર્યને જોઈ શકતા નથી, તેને ‘સૂર્યગ્રહણ’ કહેવામાં આવે છે. આંશિક સૂર્યગ્રહણનો અર્થ એ છે કે, જ્યારે ચંદ્ર સૂર્યના કેટલાક કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે, ત્યારે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ભારતમાં આગામી સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ, 2027ના રોજ દેખાશે, જે સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">