AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya: આ દિવસે મળ્યા હતા સુદામા કૃષ્ણને, જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધાર્મિક કથા

અક્ષય તૃતીયાના દિવસે દાનનું મહત્વ છે, આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો, અક્ષય તૃતીયાના દિવસ સારા કાર્યોની શરૂઆત માટે વણજોયા મુહર્તની જેમ જુએ છે.

Akshaya Tritiya: આ દિવસે મળ્યા હતા સુદામા કૃષ્ણને, જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધાર્મિક કથા
Akshaya tritiya
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 4:41 PM
Share

અક્ષય તૃતીયા (Akshaya tritiya)ના દિવસે સુદામા તેમના બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ (Shri Krishna) પાસે આર્થિક મદદ લેવા ગયા હતા. તેણે તેમની પોટલીમાં રાંધેલા તાંદુલ લીધા હતા, જે ભગવાને ખૂબ ઉત્સાહથી ખાધા હતા. પરંતુ સુદામાએ તેમના ખચકાટને કારણે કૃષ્ણ પાસે મદદ માંગી નહીં. તેઓ તેમની પાસેથી કંઈપણ માંગ્યા વિના તેમના ઘરે પાછા ફર્યા હતા, પરંતુ પાછા ફર્યા ત્યારે સુદામાએ જોયું કે તેમની જર્જરિત ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઉભો છે અને તેમની ગરીબ પત્ની અને બાળકો સારા કપડાંમાં જોવા મળે છે. આ જોઈને સુદામા સમજી ગયા કે આ બધું શ્રી કૃષ્ણની કૃપાથી થયું છે. આ જ કારણથી અક્ષય તૃતીયા પર સાફ મને દાન અને પૂજાનું મહત્વ ગણાય છે. તેની સાથે ધન અને સંપત્તિના લાભ સાથે પણ જોડાયેલું છે.

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં માટે અક્ષય તૃતીયાને ચિરંજીવી તિથિ પણ કહેવાય છે. એટલા માટે જ આજે પણ બધા માટે અક્ષય સ્વાસ્થ્ય અને વયનું વરદાન મેળવવાનો દિવસ છે. ચારેય યુગોમાં ત્રેતાયુગનો આરંભ આ તિથિથી થયો એટલા માટે તેને યુગાદિતિથિ પણ કહેવાય છે એટલે કે આજે શુભારંભનો દિવસ છે. વૈશાખ માસમાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો પ્રેમ અને લગ્ન અક્ષય થાય છે. આજે પિતૃઓને તર્પણ એમ માનીને કરાય છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થશે.

અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષયપાત્ર મળ્યું

મહાભારત કાળમાં અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષયપાત્ર મળ્યું હતું. આ એવું પાત્ર હતું, જેમાંથી અન્ન ક્યારેય ખતમ જ નહોતું થતું. આથી અક્ષય તૃતીયા ખેડૂતો માટે પણ મહત્ત્વપૂર્ણ દિવસ મનાય છે. તેને ભારતીય કૃષિના નવા ચક્રની શરૂઆતનો દિવસ કહેવાય છે. ઓરિસ્સા અને પંજાબમાં આ વ્યાપક રીતે ખેતી સંબંધિત તહેવાર છે. ખેડૂતો નવા પાકની તૈયારીમાં લાગી જાય છે. પ્રચલિત છે કે અક્ષય તૃતીયાથી ઋતુ પરિવર્તન થઈ જાય છે. તે વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતનો દિવસ પણ મનાય છે. મે બાદના મહિનામાં ખરીફ પાકની વાવણી અને લણણી કરાય છે. વાવણીની તૈયારી અક્ષય તૃતીયા બાદ શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો :Ahmedabad: કાપડના વેપારીએ ઝેરી દવા પી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટ મળી આવતા 11 વેપારીઓ સામે નોંધાયો ગુનો

આ પણ વાંચો :Ahmedabad: AUDAના મકાન ખરીદવા અને વેચવાની નીતિને સરળ બનાવાઇ, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ધરખમ ઘટાડો કરાયો

Follow Us
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
g clip-path="url(#clip0_868_265)">