Akshaya Tritiya: આ દિવસે મળ્યા હતા સુદામા કૃષ્ણને, જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધાર્મિક કથા

અક્ષય તૃતીયાના દિવસે દાનનું મહત્વ છે, આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો, અક્ષય તૃતીયાના દિવસ સારા કાર્યોની શરૂઆત માટે વણજોયા મુહર્તની જેમ જુએ છે.

Akshaya Tritiya: આ દિવસે મળ્યા હતા સુદામા કૃષ્ણને, જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધાર્મિક કથા
Akshaya tritiya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 4:41 PM

અક્ષય તૃતીયા (Akshaya tritiya)ના દિવસે સુદામા તેમના બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ (Shri Krishna) પાસે આર્થિક મદદ લેવા ગયા હતા. તેણે તેમની પોટલીમાં રાંધેલા તાંદુલ લીધા હતા, જે ભગવાને ખૂબ ઉત્સાહથી ખાધા હતા. પરંતુ સુદામાએ તેમના ખચકાટને કારણે કૃષ્ણ પાસે મદદ માંગી નહીં. તેઓ તેમની પાસેથી કંઈપણ માંગ્યા વિના તેમના ઘરે પાછા ફર્યા હતા, પરંતુ પાછા ફર્યા ત્યારે સુદામાએ જોયું કે તેમની જર્જરિત ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઉભો છે અને તેમની ગરીબ પત્ની અને બાળકો સારા કપડાંમાં જોવા મળે છે. આ જોઈને સુદામા સમજી ગયા કે આ બધું શ્રી કૃષ્ણની કૃપાથી થયું છે. આ જ કારણથી અક્ષય તૃતીયા પર સાફ મને દાન અને પૂજાનું મહત્વ ગણાય છે. તેની સાથે ધન અને સંપત્તિના લાભ સાથે પણ જોડાયેલું છે.

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં માટે અક્ષય તૃતીયાને ચિરંજીવી તિથિ પણ કહેવાય છે. એટલા માટે જ આજે પણ બધા માટે અક્ષય સ્વાસ્થ્ય અને વયનું વરદાન મેળવવાનો દિવસ છે. ચારેય યુગોમાં ત્રેતાયુગનો આરંભ આ તિથિથી થયો એટલા માટે તેને યુગાદિતિથિ પણ કહેવાય છે એટલે કે આજે શુભારંભનો દિવસ છે. વૈશાખ માસમાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો પ્રેમ અને લગ્ન અક્ષય થાય છે. આજે પિતૃઓને તર્પણ એમ માનીને કરાય છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થશે.

અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષયપાત્ર મળ્યું

મહાભારત કાળમાં અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષયપાત્ર મળ્યું હતું. આ એવું પાત્ર હતું, જેમાંથી અન્ન ક્યારેય ખતમ જ નહોતું થતું. આથી અક્ષય તૃતીયા ખેડૂતો માટે પણ મહત્ત્વપૂર્ણ દિવસ મનાય છે. તેને ભારતીય કૃષિના નવા ચક્રની શરૂઆતનો દિવસ કહેવાય છે. ઓરિસ્સા અને પંજાબમાં આ વ્યાપક રીતે ખેતી સંબંધિત તહેવાર છે. ખેડૂતો નવા પાકની તૈયારીમાં લાગી જાય છે. પ્રચલિત છે કે અક્ષય તૃતીયાથી ઋતુ પરિવર્તન થઈ જાય છે. તે વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતનો દિવસ પણ મનાય છે. મે બાદના મહિનામાં ખરીફ પાકની વાવણી અને લણણી કરાય છે. વાવણીની તૈયારી અક્ષય તૃતીયા બાદ શરૂ થઈ જાય છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

આ પણ વાંચો :Ahmedabad: કાપડના વેપારીએ ઝેરી દવા પી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટ મળી આવતા 11 વેપારીઓ સામે નોંધાયો ગુનો

આ પણ વાંચો :Ahmedabad: AUDAના મકાન ખરીદવા અને વેચવાની નીતિને સરળ બનાવાઇ, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ધરખમ ઘટાડો કરાયો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">