AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya: આ દિવસે મળ્યા હતા સુદામા કૃષ્ણને, જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધાર્મિક કથા

અક્ષય તૃતીયાના દિવસે દાનનું મહત્વ છે, આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો, અક્ષય તૃતીયાના દિવસ સારા કાર્યોની શરૂઆત માટે વણજોયા મુહર્તની જેમ જુએ છે.

Akshaya Tritiya: આ દિવસે મળ્યા હતા સુદામા કૃષ્ણને, જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધાર્મિક કથા
Akshaya tritiya
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 4:41 PM
Share

અક્ષય તૃતીયા (Akshaya tritiya)ના દિવસે સુદામા તેમના બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ (Shri Krishna) પાસે આર્થિક મદદ લેવા ગયા હતા. તેણે તેમની પોટલીમાં રાંધેલા તાંદુલ લીધા હતા, જે ભગવાને ખૂબ ઉત્સાહથી ખાધા હતા. પરંતુ સુદામાએ તેમના ખચકાટને કારણે કૃષ્ણ પાસે મદદ માંગી નહીં. તેઓ તેમની પાસેથી કંઈપણ માંગ્યા વિના તેમના ઘરે પાછા ફર્યા હતા, પરંતુ પાછા ફર્યા ત્યારે સુદામાએ જોયું કે તેમની જર્જરિત ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઉભો છે અને તેમની ગરીબ પત્ની અને બાળકો સારા કપડાંમાં જોવા મળે છે. આ જોઈને સુદામા સમજી ગયા કે આ બધું શ્રી કૃષ્ણની કૃપાથી થયું છે. આ જ કારણથી અક્ષય તૃતીયા પર સાફ મને દાન અને પૂજાનું મહત્વ ગણાય છે. તેની સાથે ધન અને સંપત્તિના લાભ સાથે પણ જોડાયેલું છે.

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં માટે અક્ષય તૃતીયાને ચિરંજીવી તિથિ પણ કહેવાય છે. એટલા માટે જ આજે પણ બધા માટે અક્ષય સ્વાસ્થ્ય અને વયનું વરદાન મેળવવાનો દિવસ છે. ચારેય યુગોમાં ત્રેતાયુગનો આરંભ આ તિથિથી થયો એટલા માટે તેને યુગાદિતિથિ પણ કહેવાય છે એટલે કે આજે શુભારંભનો દિવસ છે. વૈશાખ માસમાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો પ્રેમ અને લગ્ન અક્ષય થાય છે. આજે પિતૃઓને તર્પણ એમ માનીને કરાય છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થશે.

અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષયપાત્ર મળ્યું

મહાભારત કાળમાં અક્ષય તૃતીયાના દિવસે જ યુધિષ્ઠિરને વનવાસમાં અક્ષયપાત્ર મળ્યું હતું. આ એવું પાત્ર હતું, જેમાંથી અન્ન ક્યારેય ખતમ જ નહોતું થતું. આથી અક્ષય તૃતીયા ખેડૂતો માટે પણ મહત્ત્વપૂર્ણ દિવસ મનાય છે. તેને ભારતીય કૃષિના નવા ચક્રની શરૂઆતનો દિવસ કહેવાય છે. ઓરિસ્સા અને પંજાબમાં આ વ્યાપક રીતે ખેતી સંબંધિત તહેવાર છે. ખેડૂતો નવા પાકની તૈયારીમાં લાગી જાય છે. પ્રચલિત છે કે અક્ષય તૃતીયાથી ઋતુ પરિવર્તન થઈ જાય છે. તે વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતનો દિવસ પણ મનાય છે. મે બાદના મહિનામાં ખરીફ પાકની વાવણી અને લણણી કરાય છે. વાવણીની તૈયારી અક્ષય તૃતીયા બાદ શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો :Ahmedabad: કાપડના વેપારીએ ઝેરી દવા પી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટ મળી આવતા 11 વેપારીઓ સામે નોંધાયો ગુનો

આ પણ વાંચો :Ahmedabad: AUDAના મકાન ખરીદવા અને વેચવાની નીતિને સરળ બનાવાઇ, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ધરખમ ઘટાડો કરાયો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">