કરો આ 5 વસ્તુઓનું દાન, અક્ષયતૃતીયા પ્રાપ્ત કરાવશે અખૂટ આશીર્વાદ!

Akshaya Tritiya 2022: મોંઘવારીના આ સમયમાં સોનાની કે ચાંદીની ખરીદી બધાં માટે શક્ય નથી હોતી. ત્યારે એવા સરળ ઉપાયો જાણીએ કે જે બિલ્કુલ પણ ખર્ચાળ નથી. દાન સંબંધિત આ એવા લૌકિક ઉપાયો છે કે જે કોઈપણ વ્યક્તિ અજમાવી શકે છે અને તેના દ્વારા માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત પણ કરી શકે છે.

કરો આ 5 વસ્તુઓનું દાન, અક્ષયતૃતીયા પ્રાપ્ત કરાવશે અખૂટ આશીર્વાદ!
Daan (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 01, 2022 | 6:23 AM

વૈશાખ સુદ ત્રીજનો દિવસ એ અખાત્રીજ તરીકે ઓળખાય છે. વર્ષની તમામ તિથિઓમાં આ ત્રીજ અક્ષય ફળ પ્રદાન કરનારી મનાય છે અને એ જ કારણ છે કે આપણે તેને અક્ષયતૃતીયા પણ કહીએ છીએ. વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાતો આ દિવસ શુભકાર્યો માટે સૌથી શ્રેષ્ઠ છે. આ વર્ષે આ તિથિ 3 મે, મંગળવારના રોજ છે. કહે છે કે આ દિવસે જો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો અજમાવવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન માતાના આશિષની ભક્તોને પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે અખાત્રીજના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરતાં હોય છે પણ અખાત્રીજના દિવસે તમે દાન કરીને પણ અક્ષય ફળની પ્રાપ્તિ કરી શકો છો.

મોંઘવારીના આ સમયમાં સોનાની કે ચાંદીની ખરીદી બધા માટે શક્ય નથી હોતી. ત્યારે અમારે આજે કેટલાક એવા સરળ ઉપાયોની વાત કરવી છે કે જે ન વધારે મોંઘા છે કે ન તો બિલ્કુલ પણ મુશ્કેલ. દાન સાથે સંબંધિત આ એવા લૌકિક ઉપાયો છે કે જે કોઈપણ વ્યક્તિ અજમાવી શકે છે અને તેના દ્વારા માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત પણ કરી શકે છે.

દાનથી લક્ષ્મીકૃપા!

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

⦁ અખાત્રીજના દિવસે જલપાત્રનું દાન કરવું ઉત્તમ મનાય છે. એવું કહેવાય છે કે આ દિવસે કળશ અથવા માટીના કોઈ પાત્રમાં ખાંડ મિશ્રિત જળ ભરી તેનું દાન કરવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલા દોષ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે.

⦁ અક્ષયતૃતીયાએ જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. અન્નદાનથી જીવનમાં સમૃદ્ધિ સ્થિર રહે છે. કહે છે કે અખાત્રીજના દિવસે અન્નનું દાન કરવાથી ઘરમાં ધન-ધાન્યના ભંડાર અખૂટ રહે છે.

⦁ અખાત્રીજે સફેદ અથવા કોઈ ચમકદાર વસ્ત્રનું દાન કરવું પણ ખૂબ શુભદાયી મનાય છે. આજનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોવાથી ઘરની સ્ત્રીને પણ વસ્ત્રનું દાન કરવું જોઈએ0 અથવા તો કોઈ ભેટ આપવી જોઈએ. માન્યતા છે કે તેનાથી વર્ષ દરમિયાન ઘરમાં ખુશહાલી અકબંધ રહે છે.

⦁ સિંદૂર મા લક્ષ્મીને અત્યંત પ્રિય મનાય છે. ત્યારે દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે અખાત્રીજના દિવસે તેમને સિંદૂર અને સાથે અન્ય સૌભાગ્ય સામગ્રીનું પણ દાન કરવું જોઈએ.

⦁ અખાત્રીજે પિતૃઓના નામથી કરેલું દાન સૌથી વધુ પુણ્યદાયી મનાય છે. અખાત્રીજ એ પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. એટલે જો પિતૃકૃપા અને લક્ષ્મી કૃપા બંન્નેની જો પ્રાપ્તિ કરવી છે તો આપના પિતૃને પ્રિય હોય તેવી કોઈ વસ્તુનું દાન ચોક્કસથી કરો. શક્ય હોય તો તમે કોઈ બ્રાહ્મણને ભોજન પણ કરાવી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શનિ શિંગણાપુર કરતા પણ પ્રાચીન છે આ શનિધામ, અહીં શ્રીકૃષ્ણએ શનિદેવને આપ્યું હતું વરદાન!

આ પણ વાંચોઃ ગૌમાતા સંબંધી આ ઉપાયો આજથી જ કરી દો શરૂ, તમામ સમસ્યાનું મળી જશે નિવારણ !

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">