Vastushashtra : એક નાનકડી ભૂલ બની શકે છે મુસીબતનું કારણ ! જાણી લો ઘરના મંદિર સંબંધી આ નિયમ

શંખને શ્રીહરિનું (Shreehari)જ પ્રતિક માનવામાં આવે છે. એટલે ઘરના મંદિરમાં શંખ અવશ્ય રાખવો જોઇએ. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે ઘરના મંદિરમાં એક કરતા વધુ સંખ્યામાં શંખ ન રાખવા જોઇએ. તે અશુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.

Vastushashtra : એક નાનકડી ભૂલ બની શકે છે મુસીબતનું કારણ ! જાણી લો ઘરના મંદિર સંબંધી આ નિયમ
Temple in house (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 26, 2022 | 6:15 AM

માન્યતા અનુસાર જે ઘરમાં (Home) મંદિર (Temple) હોય છે, તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે. જે ઘરમાં મંદિર હોય છે, ત્યાં ભગવાનનો વાસ હોય છે. પણ, આ મંદિર હંમેશા ચોખ્ખું રાખવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં (Vastushashtra) ઘરના મંદિર સાથે જોડાયેલા અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું લોકોએ જરૂરથી પાલન કરવું જોઈએ. આ નિયમો અનુસાર મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવાનો નિષેધ છે. આ એવી વસ્તુઓ છે કે જેના દ્વારા અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ એવી વસ્તુઓ છે કે જે ઘરના મંદિરમાં હોવાથી પૂજા સમયે મન ક્યારેય પણ એકાગ્ર રહેતું નથી. અને સાથોસાથ ઘરની ધન-સંપત્તિને પણ આ વસ્તુઓ નુકસાન કરે છે. આવો, આજે તેના વિશે જ વિગતે માહિતી મેળવીએ.

મંદિરની દિશા

જો તમારા ઘરમાં જગ્યાની અછત છે તો ઉત્તર પૂર્વના ખૂણામાં એક બાજોઠ સ્થાપિત કરીને ત્યાં પોતાનું મંદિર બનાવી શકો છો. ઘણી વખત જોવામાં આવે છે કે અમુક લોકો જગ્યા ઓછી હોવાને લીધે ઘરના મંદિરને સ્ટોર રૂમમાં બનાવી દેતા હોય છે. આવું કરવું બિલકુલ પણ યોગ્ય માનવામાં આવતું નથી. ઘરના મંદિરને એવી જગ્યાએ બિલકુલ પણ રાખવું જોઈએ નહીં, જ્યાં નકામો સામાન અથવા તો ભંગાર રાખવામાં આવતો હોય.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મંદિરમાં શંખ !

ભગવાન વિષ્ણુને શંખ અતિપ્રિય છે. શંખને શ્રીહરિનું જ પ્રતિક માનવામાં આવે છે. એટલે ઘરના મંદિરમાં શંખ અવશ્ય રાખવો જોઇએ. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે ઘરના મંદિરમાં એક કરતા વધુ સંખ્યામાં શંખ ન રાખવા જોઇએ. તે અશુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.

બાળગોપાલની મૂર્તિ કે ચિત્ર 

જો આપના ઘરના મંદિરમાં બાળગોપાલ બિરાજમાન છે તો તેમની નિયમિતપણે સેવા પૂજા કરવી ખૂબ જરૂરી છે. દરરોજ તેમને સ્નાન કરાવવું જોઇએ, વસ્ત્રો બદલાવવા જોઇએ તેમજ તેમને દિવસમાં ત્રણ વખત ભોગ અર્પણ કરવો જોઇએ. ઘરના રસોડામાં બનેલી દરેક વસ્તુ પહેલા તેમને અર્પણ કરીને જ ઘરના બીજા સભ્યોએ આરોગવી જોઇએ. જ્યારે પણ તમારે બહારગામ જવાનું થાય ત્યારે બાળગોપાલને આપની સાથે જ લઇ જવા જોઇએ અથવા તો કોઇ વ્યક્તિને સોંપીને જવા જોઇએ કે જે વ્યક્તિ નિત્ય નિયમાનુસાર તેમની સેવાપૂજા કરે.

પૂજાના પુષ્પ

ઘરના મંદિરમાં ભાવિકો નિત્ય જ ભગવાનને અલગ અલગ પુષ્પ અર્પણ કરતા હોય છે. પુષ્પથી સજાવટ કરતા હોય છે. આ બધી વસ્તુઓ ભગવાનને અતિ પ્રિય છે. પરંતુ આ કાર્ય કરવામાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાન માટે કે મંદિરમાં ક્યારેય વાસી પુષ્પનો ઉપયોગ ન કરવો જોઇએ. આ આદત આપના માટે અશુભ સાબિત થઇ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઇએ તો વાસી પુષ્પોમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. જે આપના ઘરમાં નિર્ધનતાને આમંત્રણ આપે છે. અકાળ મૃત્યુ, મંગળદોષ તથા લગ્ન સંબંધિત કાર્યોમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.

પૂર્વજોના ચિત્રો કે તસવીર

મંદિરમાં ક્યારેય પણ પૂર્વજોના ચિત્રો કે તસવીર રાખવી જોઈએ નહીં. શાસ્ત્રોમાં તેને અશુભ બાબત માનવામાં આવે છે. પૂર્વજોના ચિત્રો કે તસવીરને મંદિરમાં રાખવાના બદલે તમે પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ ઉપર લગાવી શકો છો. આ રીતે કરવાથી પિતૃઓ તમારી ઉપર પ્રસન્ન રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">