તમારી સફળતાને અવરોધી શકે છે એક ઘડિયાળ ! ઘરમાં ઘડિયાળ લગાડતી સમયે આ ધ્યાનમાં રાખજો

ઘરના પ્રવેશદ્વારની ઉપર કે ઘરના કોઇપણ દરવાજાની ઉપર ઘડિયાળ (clock) ક્યારેય ન લગાવવી જોઇએ. પલંગ પાસે કે પલંગ સાથે જોડાયેલી દિવાલ ઉપર પણ ક્યારેય ઘડિયાળ ન લગાવવી જોઇએ !

તમારી સફળતાને અવરોધી શકે છે એક ઘડિયાળ ! ઘરમાં ઘડિયાળ લગાડતી સમયે આ ધ્યાનમાં રાખજો
Clock
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 07, 2023 | 6:29 AM

ભલે જમાનો ગમે તેટલો બદલાય કે આગળ નીકળી જાય, પરંતુ, આજે પણ ઘરમાં દિવાલો પર ઘડિયાળ લગાવેલી જોવા મળે છે. તે તમને સમય તો બતાવે જ છે, સાથે જ ઘરની દિવાલની શોભા પણ વધારે છે. ઘડિયાળને હંમેશા સારા સમય સાથે જોડવામાં આવે છે. કહેવાય છે કે જે રીતે ઘડિયાળ નિયમિત ચાલતી રહે છે તે રીતે જ આપણું જીવન પણ હંમેશા આગળ વધતું રહેવું જોઇએ.

વાસ્તુ શાસ્ત્રની વાત કરીએ તો તેમાં ઘરની દિશાને લઇને ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એ જ રીતે ઘડિયાળને લઇને પણ વાસ્તુ શાસ્ત્રમાં ઘણી સલાહ આપવામાં આવી છે. જેમ કે કઇ દિશામાં ઘડિયાળ લગાવવી, કયા પ્રકારની ઘડિયાળ લગાડવી, કયા આકારની ઘડિયાળ લગાડવી વગેરે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.

વાસ્તુ શાસ્ત્ર અને ઘડિયાળ

વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળને આર્થિક સ્થિતિ સાથે સાંકળવામાં આવી છે. એટલે જ કઇ દિશામાં ઘડિયાળ લગાડવી અને કઇ દિશામાં ઘડિયાળ ક્યારેય ન લગાડવી જોઇએ તેના વિશે જાણવું જરૂરી બની જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળને ખોટી દિશામાં લગાડવાથી આર્થિક સંકટ આવવાના શરૂ થઇ જાય છે. તો ચાલો જાણીએ કે ઘડિયાળ માટે વાસ્તુ શાસ્ત્રમાં કયા નિયમો જણાવ્યા છે. અને શા માટે તેનું પાલન કરવું બની જાય છે જરૂરી ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઘડિયાળની દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં ઘડિયાળ લગાવવી યોગ્ય માનવામાં આવે છે. પરંતુ, દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવી યોગ્ય માનવામાં નથી આવતી. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી આપને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે ! સાથે જ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પશ્ચિમ દિશામાં ત્યારે જ ઘડિયાળ લગાવવી જોઈએ કે જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન હોય. એટલે કે, પૂર્વ કે ઉત્તર દિશામાં જગ્યા ન હોય.

ક્યાં ન લગાડવી જોઇએ ઘડિયાળ ?

ઘરના દ્વાર પર કે ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોવ તે સ્થાન પર ઘડિયાળ ન લગાવવી જોઇએ. ઘરના પ્રવેશદ્વારની ઉપર કે ઘરના કોઇપણ દરવાજાની ઉપર ઘડિયાળ ક્યારેય ન લગાવવી જોઇએ. પલંગ પાસે કે પલંગ સાથે જોડાયેલી દિવાલ ઉપર પણ ક્યારેય ઘડિયાળ ન લગાવવી જોઇએ !

બંધ ઘડિયાળ ન રાખો !

સતત ચાલતી ઘડિયાળને જીવનની આગળ વધતી ગતિ સાથે, પ્રગતિ સાથે જોડવામાં આવે છે. એટલે બંધ ઘડિયાળ બિલ્કુલ પણ દિવાલ પર લગાવેલી ન હોવી જોઈએ. માન્યતા અનુસાર બંધ ઘડિયાળના કારણે જીવનમાં અવરોધ ઉભા થાય છે. વાસ્તુ અનુસાર જોઈએ તો ઘરમાં તૂટેલી, ખરાબ કે બંધ ઘડિયાળ ક્યારેય ન રાખવી જોઇએ. ખાસ કરીને કાચ તૂટી ગયો હોય તેવી ઘડિયાળ ઘરમાંથી કાઢી દેવી જોઇએ. એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે સમયાંતરે ઘડિયાળને સ્વચ્છ કરતા રહેવું જોઇએ.

ઘડિયાળનો આકાર કેવો હોવા જોઇએ ?

વાસ્તુ અનુસાર જે ઘડિયાળનો આકાર ગોળ હોય છે તે ઘર માટે ખૂબ જ શુભદાયી સાબિત થાય છે. એટલે, અલગ અલગ આકારની ઘડિયાળો ખરીદવાના બદલે ગોળાકાર ઘડિયાળ જ ઘરની દિવાલ પર લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઘડિયાળના રંગનું પણ મહત્વ !

ઘરની આર્થિક સ્થિતિને સારી રાખવા અને જીવનમાં ખુશહાલી લાવવા માટે ઘડિયાળનો રંગ વાસ્તુ અનુસાર રાખવો જોઇએ. જેમ કે સફેદ રંગ, આછો સિલેટીયા કે ગ્રે રંગ, આસમાની રંગ, આછો લીલો રંગ અથવા તો ક્રીમ રંગ રાખવો જોઈએ. દિવાલ પર લગાવવા માટે મેટાલિક રંગની ઘડિયાળ પણ શુભ મનાય છે. જો ઘરની પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવી રહ્યા હોવ તો ઘાટો લીલો રંગ કે લાકડા જેવો રંગ પસંદ કરવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">