શું તમે તો ભૂલમાં ઘરમાં આવી વસ્તુઓ નથી સાચવી ને ? તમારી બરબાદીનું બની શકે છે કારણ !

માટીના જૂના વાસણોને નવા ઘરમાં (house) ફરી ઉપયોગમાં લેવા દુર્ભાગ્યનું કારણ બને છે. એટલે નવા ઘરમાં જાવ ત્યારે માટીના જૂના વાસણો કાઢી દેવા જોઈએ. એ જ રીતે જો વાસણો વધારે જ જૂના દેખાવા લાગ્યા હોય તો તેને પણ કાઢી દેવા જોઈએ.

શું તમે તો ભૂલમાં ઘરમાં આવી વસ્તુઓ નથી સાચવી ને ? તમારી બરબાદીનું બની શકે છે કારણ !
vastu dosha
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 29, 2023 | 6:30 AM

એક માન્યતા અનુસાર વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અને વાસ્તુશાસ્ત્રના ઉપાયો જ્યારે આપણા રહેણાંક સ્થળ અને કાર્યાલય પર લાગુ પડે છે, તો તે આપણાં જીવનમાં ઘણાં સારા પ્રભાવો પાડે છે. અને તેનાથી વિપરીત જ્યારે આવાં સિદ્ધાંતોની અવગણના કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં સમસ્યાનું કારણ પણ બની શકે છે. વાસ્તુદોષવાળુ ઘર નકારાત્મકતા, બીમારી, આર્થિક સમસ્યાઓ અને પારિવારિક વિખવાદોનું કેન્દ્ર પણ બની શકે છે. જો તમે આ પ્રકારના કોઈપણ ઘરમાં રહેતા હોવ તો, પરિવર્તન કરાવવું અત્યંત જરૂરી બની જતું હોય છે. આવો, આજે એ જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં કઈ કઈ વસ્તુઓ રાખવાનો નિષેધ છે. અને માટીના જૂના વાસણો પણ કેવી રીતે બની શકે છે તમારા દુર્ભાગ્યનું કારણ !

તૂટેલા કાચ અને બંધ ઘડિયાળ ઘરમાં ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો સામાન ક્યારેય ન રાખવો જોઇએ. તૂટેલો સામાન ઘરમાં રાખવો ખૂબ જ અશુભ મનાય છે. એમાં પણ તૂટેલો કાચ કે કાચના વાસણ, કાચના કપ-રકાબી, તૂટેલા અરીસા, તૂટેલી ઘડિયાળો તો બિલ્કુલ પણ ઘરમાં ન રાખવી જોઈએ. તે નકારાત્મકતા ઉત્પન્ન કરે છે અને તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ પણ સર્જી શકે છે. તૂટેલા કાચ સૌથી ખરાબ વસ્તુ મનાય છે. વાસ્તવમાં કાચ કે અરીસો એ આપણું પ્રતિબિંબ દર્શાવે છે. એટલે, તમે જે કંઇપણ આકર્ષિત કરવા માંગો છો તે તમારા અરીસાના પ્રતિબિંબમાં તૂટેલું જ જોવા મળશે ! એ જ કારણ છે કે, ઘરમાં ઘડિયાળ પણ ક્યારેય તૂટેલી ન રાખવી અથવા તો જે ઘડિયાળ ચાલુ ન હોય તે પણ ઘરમાં ન રાખવી. આવી વસ્તુઓ ઘરમાં દુર્ભાગ્ય અને બીમારીઓ ફેલાવવાનું કારણ બને છે. આપે આપના ઘરમાંથી તૂટેલા કાચ, ઘડિયાળ, વાસણને ફેંકી દેવા જોઇએ. કારણ કે, તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.

નવા ઘરમાં માટીના જૂના વાસણ નહીં !

માટી એ પૃથ્વીનો એક ભાગ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એક સલાહ આપવામાં આવે છે કે નવા ઘરમાં જવાથી આપને આપના માટીના જૂના વાસણોથી છુટકારો મળી જશે. માટીના જૂના વાસણો નવા ઘરમાં ફરી ઉપયોગમાં લેવા દુર્ભાગ્યનું કારણ બને છે. એટલે નવા ઘરમાં જાવ ત્યારે માટીના જૂના વાસણો કાઢી દેવા જોઈએ. એ જ રીતે જો વાસણો વધારે જ જૂના દેખાવા લાગ્યા હોય તો તેને પણ કાઢી દેવા જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્વિમીંગ પુલની યોગ્ય દિશા નક્કી કરો

આપના ઘર કે એપાર્ટમેન્ટમાં સ્વિમીંગ પુલ પશ્ચિમ, દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું જોઇએ. ખોટી જગ્યા પર રાખવામાં આવેલ સ્વિમીંગ પુલ નકારાત્મકતાને આવકારે છે. જો કે ઉત્તર કે પૂર્વ દિશામાં સ્વિમીંગ પુલ હોવું શુભ માનવામાં આવે છે.

ઘરના પ્રવેશદ્વાર પર યોગ્ય હવા ઉજાસ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અંધારુ આવતું હોય તેવા ખૂણા ક્યારેય ન રાખવા. ઘરના દરેક ખૂણામાં પ્રકાશ આવતો હોય તેનું ખાસ ધ્યાન રાખવું. તેના કારણે ઘરમાં હંમેશા દરેક ખૂણામાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. અને તેનાથી આપના ઘર અને જીવનમાં પ્રકાશ છવાયેલો રહે છે.

અરીસાને યોગ્ય દિશામાં લગાવો

વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે તમારે અરીસાને યોગ્ય દિશામાં લગાવવો જોઇએ. જો વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો યોગ્ય દિશામાં રાખવામાં આવશે તો આપનું ઘર સકારાત્મક ઊર્જાથી ભરેલુ રહેશે. અરીસાને મુખ્ય દ્વારની સામે ક્યારેય ન રાખવો જોઇએ. એ જ રીતે આપના શયનકક્ષમાં બેડની સામેની બાજુ પણ અરીસો ન રાખવો જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">