AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા Pensioners નું નિઃશુલ્ક Life Certificate સબમિટ કરશે, આ રીતે લઈ શકાશે યોજનાનો લાભ

પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે તમે તેની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા જીવન પ્રમાણપત્ર નિઃશુલ્ક સબમિટ કરી શકો છો. આ સુવિધા 1 ઓક્ટોબર, 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી ઉપલબ્ધ રહેશે. પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

PNB ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા Pensioners નું નિઃશુલ્ક Life Certificate સબમિટ કરશે, આ રીતે લઈ શકાશે યોજનાનો લાભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 12:40 PM
Share

દેશભરના લાખ્ખો પેન્શનર માટે મહત્વના સમાચાર છે. નવેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે.  દેશભરના કરોડો પેન્શનરોએ આ મહિને તેમનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સારીટીફિકેટ સબમિટ કરવું પડશે. જો કે, એમ્પ્લોયી પેન્શન સ્કીમના પેન્શનર માટે એક રાહત છે કે તે એક વર્ષમાં ગમે ત્યારે પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તમે જીવન પ્રમાણપત્ર ઘણી રીતે સબમિટ કરો છો. તમે ટ્રેઝરી, બેંક શાખા, કોમન સર્વિસ સેન્ટર અને પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. પેન્શનરો સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક  સહિત 12 બેંકોની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. ઘણી બેંકોએ ડોર સ્ટેપ સર્વિસ માટે ફી ચૂકવવી પડે છે.

PNB ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા મફતમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરો

પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે તમે તેની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા જીવન પ્રમાણપત્ર નિઃશુલ્ક સબમિટ કરી શકો છો. આ સુવિધા 1 ઓક્ટોબર, 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી ઉપલબ્ધ રહેશે. પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

ડોરસ્ટેપ બેંકિંગ શું છે?

જેમની પાસે સમય નથી અથવા ક્યાંય બહાર જવા માટે અસમર્થ છે તેમના માટે ડોરસ્ટેપ બેંકિંગ વધુ મહત્વપૂર્ણ છે. ડોરસ્ટેપ બેંકિંગ એ એક એવી પહેલ જેના દ્વારા તેઓ મોટાભાગના ગ્રાહકોને બેંકિંગ વ્યવહાર સેવાઓ પૂરી પાડે છે. આ ડોરસ્ટેપ બેંકિંગ સેવા એજન્ટો દ્વારા આપવામાં આવે છે જે લોકોને તેમના ઘરે જઈને બેંકિંગ સેવા પૂરી પાડે છે. જેમાં તેઓ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.

ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ

પેન્શનરોએ તેમનું જીવન પ્રમાણપત્ર બનાવવા માટે બ્રાન્ચમાં જાતે જવાની જરૂર નથી. જીવન પ્રમાણપત્ર પોતે પણ ઓનલાઈન જનરેટ કરી શકાય છે. તમે કેન્દ્ર સરકારના જીવન પ્રમાણપત્ર પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પરથી ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જનરેટ કરી શકો છો. આધાર આધારિત પ્રમાણીકરણ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરી શકાય છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">