અર્થવ્યવસ્થાના વિકાસને ટેકો આપવા માટે શક્ય તેટલા નરમ અને અનુકૂળ વ્યાજ દર રખાશે : SBI Chairman

ભારતીય સ્ટેટ બેંક (SBI) અર્થવ્યવસ્થાના વિકાસને ટેકો આપવા માટે શક્ય તેટલા નરમ અને અનુકૂળ વ્યાજના દર રાખશે.

અર્થવ્યવસ્થાના વિકાસને ટેકો આપવા માટે શક્ય તેટલા નરમ અને અનુકૂળ વ્યાજ દર રખાશે : SBI Chairman
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: May 03, 2021 | 9:49 AM

ભારતીય સ્ટેટ બેંક (SBI) અર્થવ્યવસ્થાના વિકાસને ટેકો આપવા માટે શક્ય તેટલા નરમ અને અનુકૂળ વ્યાજના દર રાખશે. કોવિડ -19 રોગચાળાની બીજી લહેરની બેંકની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) પર પડનાર અસર અંગે બેંકના ચેરમેન દિનેશકુમાર ખારાએ જણાવ્યું હતું કે લોકડાઉન ભારતભરમાં થયું નથી. આવી સ્થિતિમાં બેંકિંગ ક્ષેત્ર પર તેની અસર માટે આપણે થોડો સમય રાહ જોવી પડશે તેનું આંકલન કરવું પડશે.

તેમણે કહ્યું કે મોંઘવારી સહિતની ઘણી વસ્તુઓ છે જેની અસર વ્યાજ દર ઉપર પડે છે. અમારો પ્રયાસ આર્થિક વિકાસના પ્રયત્નોને ટેકો આપવાનો છે. અમે સુનિશ્ચિત કરવા માટે વ્યાજ દરો શક્ય તેટલા નરમ રાખવા પ્રયાસ કરીશું.

ખારાએ કહ્યું હતું કે સ્થાનિક પ્રતિબંધોને આધારે બેંકોના PNA દૃશ્યને લઈને આ સમયે કોઈ આકારણી કરવી ખૂબ જ વહેલી છે. તેમણે કહ્યું, “લોકડાઉનની સ્થિતિ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી છે તેથી અર્થવ્યવસ્થાની સ્થિતિ અને NPA વિશે કોઈ ટિપ્પણી કરતા પહેલા આપણે વધુ સમય રાહ જોવી જોઈએ.”

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેમણે કહ્યું કે, બેંક સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે એક હજાર બેડની વ્યવસ્થા કરવા માંગે છે. આમાં ICU સુવિધા સાથે 50 બેડ હશે. ખારાએ કહ્યું કે સ્ટેટ બેંક ઓક્સિજન સિલિન્ડર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલો અને એનજીઓ સાથે જોડાણ પણ કરી રહી છે.તમેણે ઉમેર્યું હતું કે “અમે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમે 70 કરોડની જોગવાઈ કરી છે જેમાં કોવિડ -19 સંબંધિત પહેલ અંતર્ગત 17 સર્કલમાં 21 કરોડ રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે”

તેમણે કહ્યું કે બેંકના કર્મચારીઓ અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા માટે બેંકે બીમાર પડેલા બેંકના કર્મચારીઓને પ્રાથમિકતાની સારવાર આપવા માટે દેશભરની કેટલીક હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે. બેંકે તેના કર્મચારીઓ અને તેમના આશ્રિતોના રસીકરણનો ખર્ચ પણ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. બેંકના કુલ અઢી લાખ કર્મચારીઓમાંથી અત્યાર સુધીમાં 70 હજાર કર્મચારીઓને રસી આપવામાં આવી છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">