આજથી આ ફાયનાન્સ કંપની Fixed Deposit ઉપર વધુ વ્યાજ આપશે, જાણો રોકાણના લાભ વિશે વિગતવાર
સુંદરમ હોમ ફાઇનાન્સ કંપની બે પ્રકારની ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવે છે. ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ સ્કીમ અને રેગ્યુલર ઈન્કમ સ્કીમ છે. સંચિત યોજનામાં વ્યાજ દર ક્વાર્ટરમાં ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે અને મેચ્યોરિટી પર સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે છે.
સુંદરમ હોમ ફાઇનાન્સે (Sundaram Home Finance) વિવિધ મુદતની થાપણો પરના વ્યાજ દરમાં વધારો(Fixed Deposit Interest Rate Hike) કર્યો છે જે આજે 1 જૂનથી લાગુ થશે. વરિષ્ઠ નાગરિકો, ટ્રસ્ટો અને અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી થાપણો પર આ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે બે વર્ષ માટે કરવામાં આવેલી વ્યક્તિગત થાપણો પર વ્યાજ દર અગાઉના 5.65 ટકાથી વધારીને 5.90 ટકા વાર્ષિક કરવામાં આવ્યો છે જ્યારે ત્રણથી પાંચ વર્ષની થાપણો પર તે 5.80 ટકાથી વધારીને 6.05 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે. રેપો રેટ(Repo Rate)માં વધારા બાદ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટ માટે ત્રણ વર્ષની થાપણો પર વાર્ષિક વ્યાજ દર 6.55 ટકા કરવામાં આવ્યો છે. બે વર્ષની થાપણો પર વ્યાજ દર અગાઉના 5.65 ટકાથી વધારીને 5.90 ટકા કરવામાં આવ્યો છે. ચાર અને પાંચ વર્ષની થાપણો પરના દર અગાઉના 6.30 ટકાથી વધારીને 6.55 ટકા કરવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકોને હવે બે વર્ષની થાપણો પર 6.40 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવશે જે અગાઉ 6.15 ટકા હતું. ત્રણથી પાંચ વર્ષની થાપણો પર હવે વાર્ષિક 6.55 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે જે પહેલા 6.30 ટકા હતું.
કેટલું વ્યાજ મળશે?
કંપનીએ જણાવ્યું હતું કે 12 મહિનાની થાપણો માટે વ્યક્તિઓ અને ટ્રસ્ટોને અગાઉની જેમ વાર્ષિક 5.50 ટકાના સમાન વ્યાજ દર મળશે અને તે વરિષ્ઠ નાગરિકો માટે છ ટકા હશે. નાણાકીય વર્ષ 2022 માં, કંપનીએ જણાવ્યું હતું કે થાપણનો આધાર વધીને રૂ. 1,941 કરોડ થયો છે જેમાં ચોખ્ખો વધારો રૂ. 131 કરોડ હતો. 31 માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કંપનીએ તેના ગ્રાહકોને રૂ. 168 કરોડના નફા પર રૂ. 2,311 કરોડનું વિતરણ કર્યું હતું.
કઈ યોજનાનો સૌથી વધુ ફાયદો?
સુંદરમ હોમ ફાઇનાન્સ કંપની બે પ્રકારની ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવે છે. ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ સ્કીમ અને રેગ્યુલર ઈન્કમ સ્કીમ છે. સંચિત યોજનામાં વ્યાજ દર ક્વાર્ટરમાં ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે અને મેચ્યોરિટી પર સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે છે. અંતે એક સાથે સમગ્ર રકમ ઉપલબ્ધ છે કારણ કે સમય જતાં નાણાં ઉમેરવામાં આવે છે. જે લોકો પૈસા ઉમેરીને મોટી કમાણી કરવા માગે છે તેમના માટે ક્યુમ્યુલેટિવ સ્કીમ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રેગ્યુલર ઈન્સકમ સ્કીમમાં દર મહિનાના છેલ્લા દિવસે વ્યાજની ગણતરી કરવામાં આવે છે અને તે મુજબ વળતર આપવામાં આવે છે. આ યોજના નિયમિત બચત યોજના કરતા વધુ સારી છે કારણ કે તે બેંક કરતા વધુ વળતર આપે છે. આ યોજના પેન્શનરો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તેમને તેમની બચતમાંથી નિયમિત આવકની જરૂર હોય છે.
ડિપોઝિટનો નિયમ શું છે?
બંને યોજનાઓમાં રૂ. 1,000ના ગુણાંકમાં નાણાં જમા કરાવી શકાય છે અને લઘુત્તમ જમા રકમ રૂ. 10,000 હશે. બે કે ત્રણ લોકોના સંયુક્ત નામના ખાતામાં પૈસા જમા કરાવી શકાય છે. જો કે, સર્વાઈવર તરીકે માત્ર એક જ નામ આપવામાં આવશે. તમે પૈસા જમા કરવા માટે ઓટો રિન્યુઅલ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આમાંની થાપણો મેચ્યોરિટીની તારીખે પ્રવર્તમાન વ્યાજ દરે સમાન કાર્યકાળ માટે રીન્યુ કરવામાં આવશે.