AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather forecast : હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અમદાવાદ,ભાવનગર, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને પોરબંદર જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Gujarat Weather forecast : હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ, જુઓ Video
Gujarat Rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 7:34 AM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અમદાવાદ,ભાવનગર, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને પોરબંદર જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી,બોટાદ,જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Rajkot Rain Breaking : રાજકોટના ગોંડલ પંથકમાં ભારે વરસાદ, ઉમવાળા અંડરબ્રિજમાં ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ Video

તો તાપી,બનાસકાંઠા, દાહોદ,નર્મદા, નવસારી,સાબરકાંઠા, સુરત અને વલસાડ જિલ્લામાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,અરવલ્લી, ભરુચ,છોટાઉદેપુર, ગાંધીનગર,ગીરસોમનાથ,ખેડા, મહીસાગર,પંચમહાલ અને વડોદરા જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ રાજકોટમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતમાં 7થી 12 જુલાઈ દરમિયાન ભરે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં તેઓએ દક્ષિણ ગુજરાતમાં પૂરની સંભાવના વ્યક્ત કરી છે. આજ થી 12 જુલાઈ વચ્ચે બંગાળનું ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે જાહેર કર્યા વિવિધ એલર્ટ

ગુજરાતમાં આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ,પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા, અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે.

તો આ તરફ 8 જુલાઈએ ગુજરાતમાં રેડ, ઓરેન્જ અને યેલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જામનગરમાં 8 જૂલાઈએ રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. કચ્છ, રાજકોટ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડના ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">