Ambalal Patel Predictions: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે બેસશે ચોમાસુ

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સંભાવના અને સારા વરસાદની આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન છે. હાલમાં ખરીફ પાકના વાવેતરની તૈયારી કરી રહેલા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગાહી મુજબ વરસાદ વરસશે તો ખેતીને મોટો ફાયદો થશે.

Ambalal Patel Predictions: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે બેસશે ચોમાસુ
Ambalal Patel Prediction(AI-Image)
| Edited By: | Updated on: Jun 20, 2026 | 1:17 PM

ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 23 જૂનથી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે. હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

21થી 23 જૂન દરમિયાન વધશે ઉકળાટ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 21થી 23 જૂન દરમિયાન રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો અનુભવ થઈ શકે છે. ભેજના વધતા પ્રમાણને કારણે લોકોને બફારાનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

હવામાનની વર્તમાન સ્થિતિને જોતા મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. ખાસ કરીને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ

અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકથી ચાર ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

બંગાળના ઉપસાગરનો ભેજ લાવશે વરસાદ

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાંથી આવતો ભેજ 28 જૂન બાદ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમને મજબૂત બનાવશે. જેના કારણે રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે.

અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જિલ્લામાં વરસાદની સંભાવના

આગામી દિવસોમાં પંચમહાલ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા અને આનંદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સંભાવના અને સારા વરસાદની આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન છે. હાલમાં ખરીફ પાકના વાવેતરની તૈયારી કરી રહેલા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગાહી મુજબ વરસાદ વરસશે તો ખેતીને મોટો ફાયદો થશે અને જળાશયોમાં પણ નવા પાણીની આવક શરૂ થશે.

આ પણ વાંચો- Amreli Breaking News: અમરેલીના કોવાયા ગામે સિંહે યુવકને ફાડી ખાધો, ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video

Follow Us