ભારતની જીત માટે અમદાવાદમાં કરાયો યજ્ઞ, ભુદેવોએ આપી આહૂતિ

ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ માટે ચારે તરફ ઉત્સાહનો માહોલ છે, ભારતની જીત માટે લગભગ દરેક ભારતીય પ્રાર્થના કરી રહ્યા હશે એવામાં અમદાવાદમાં વિજયની કામના માટે ભુદેવો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

| Updated on: Nov 18, 2023 | 2:22 PM

ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ માટે ચારે તરફ ઉત્સાહનો માહોલ છે, ભારતની જીત માટે લગભગ દરેક ભારતીય પ્રાર્થના કરી રહ્યા હશે એવામાં અમદાવાદમાં વિજયની કામના માટે ભુદેવો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, યજ્ઞ મા મહંત મગનગીરી બાપુ અને પુષ્પક સીટીના રહીશોએ યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

18 મી નવેમ્બરન શનિવારે વિજય મુહૂર્તમાં શાસ્ત્રી યોગેશ શુકલ અને ભુદેવો તેમજ ક્રિકેટ રસિકો વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ મા અપઁણ કરાઈ આહુતિ દ્વારા જીતની પ્રાર્થના કરી હતી. હાથીજણ સર્કલ પાસે આવેલા સોમેશ્વર મહાદેવના સંકુલમાં પુષ્પક સીટી દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">