VADODARA : કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય, કેન્દ્રીય આરોગ્ય ટીમના શહેરમાં ધામા
VADODARA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાબૂમાં આવેલો કોરોના એકાએક બેકાબૂ કઈ રીતે થઈ ગયો ? શું કોરોનાના વધતા કેસ માટે જનતા જવાબદાર છે કે પછી પ્રચારમાં બેફામ બનેલા નેતાઓ ?
VADODARA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાબૂમાં આવેલો કોરોના એકાએક બેકાબૂ કઈ રીતે થઈ ગયો ? શું કોરોનાના વધતા કેસ માટે જનતા જવાબદાર છે કે પછી પ્રચારમાં બેફામ બનેલા નેતાઓ ? કેન્દ્રીય ટીમના મતે ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ માટે ચૂંટણી પ્રચારમાં થયેલી ભીડ જવાબદાર છે. વડોદરાની મુલાકાતે આવેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગના તબીબોની ટીમે તારણ કાઢ્યું છે કે વધતા કેસ માટે ચૂંટણી પ્રચાર દરમ્યાન જે રેલી થઈ અને આ રેલીઓમાં જે ભીડ ભેગી થઈ તે જવાબદાર છે. વડોદરામાં કેન્દ્રની ટીમે SSG કોવિડ હોસ્પિટલ અને લેબોરેટરીની મુલાકાત લીધી. કેન્દ્રની ટીમની સમીક્ષા પ્રમાણે, ચૂંટણી પ્રચારમાં એકઠી થયેલી ભીડના કારણે સંક્રમણ વધ્યું હોવાનું બહાર આવ્યું છે. કેન્દ્રની ટીમ હવે આ સમીક્ષા રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે.