કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah શનિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહ સોમવારે અમદાવાદમાં કર્ફ્યૂમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે મંગળા આરતી કરશે. તેમજ 11 જુલાઈએ બોપલ, વેજલપુરમાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે,
કેન્દ્રીય ગુહ અને સહકારીતા મંત્રી અમિત શાહ(Amit Shah) શનિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ ત્રણ દિવસ દરમ્યાન અનેક પ્રોજેકટોનું લોકાર્પણ કરશે. તેમજ સોમવારે અમદાવાદમાં કર્ફ્યૂમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા( Rathyatra) પૂર્વે મંગળા આરતી કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 જુલાઈએ બોપલ, વેજલપુરમાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, જ્યારે સાણંદ APMCમાં 40 કરોડના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે.
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહનો એક જ મહિનામાં આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ શનિવાર રાત્રે ગુજરાત પહોંચશે
Published on: Jul 09, 2021 07:04 PM