AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ  : દિવાળી પર્વ પર મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ, આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

રાજકોટ : દિવાળી પર્વ પર મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ, આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 5:21 PM
Share

દિવાળીના તહેવારો દરમિયાન બહારથી આવનારા કોઈ વ્યક્તિ દ્વારા (CORONA)કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ (RAJKOT)માં તહેવારો નિમિત્તે બહાર ગામથી આવતા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે હાલ (DIWALI)દિવાળીના તહેવારો દરમિયાન બહારથી આવનારા કોઈ વ્યક્તિ દ્વારા (CORONA)કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના ભયના ઓથાર હેઠળ રાજકોટ આરોગ્ય વિભાગની 18 જેટલી ટીમો આ કામગીરીમાં જોતરાઈ ગઇ છે. બહારથી આવતા મુસાફરોમાં જો કોઈ લક્ષણો જણાય તો સ્થળ પર જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. અને જરૂર લાગે તો મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીના પણ પગલાં લેવાય છે. ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છેકે હાલ જયારે (DIWALI)દિવાળીનો તહેવાર છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જેના ભાગરૂપે રાજકોટ (RAJKOT)શહેરના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની (CORONA) ત્રીજી લહેરની સંભાવનાઓને ટાળવા માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમાં પણ બહારના રાજયોમાંથી આવતા અને જતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેથી કોરોનાની સંભવિત લહેર સામે બચી શકાય.

 

આ પણ વાંચો : Video: ઉંદર અને બિલાડી વચ્ચે ગાઢ મિત્રતા ! બિલાડીના ખોળામાં રમતા આ ઉંદરને જોઈને લોકોના હોંશ ઉડી ગયા

આ પણ વાંચો : રાજકોટમાં દિવાળીના તહેવારોમાં આરોગ્યકર્મીઓએ કરી બે દિવસ રજાની માંગ

 

 

g clip-path="url(#clip0_868_265)">