My India My Life Goals : આ કામ કરીશું તો દરેક દિવસ હશે પર્યાવરણ દિવસ, હરિયાણાના Tree Manનો સંદેશ

Tree Man Devender Sura : હરિયાણાના આ પોલીસ કોન્સ્ટેબલે નાના અભિયાનને જન આંદોલનમાં ફેરવી દીધું છે. તેણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ રોપા વાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 5:20 PM

Tree Man Devender Sura : શા માટે 5 જૂન? આપણે દરરોજ પર્યાવરણ દિવસ કેમ ઉજવી શકતા નથી? આ સવાલો હરિયાણાના ટ્રી-મેન દેવેન્દ્ર સુરાના છે. જે વ્યક્તિ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી હરિયાણાની ધરતીને હરિયાળી બનાવવામાં લાગેલા છે. અત્યાર સુધીમાં તેમણે એક લાખથી વધુ રોપા વાવ્યા છે. તેમનું માનવું છે કે આપણે દરરોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવી જોઈએ. તેમણે દેશના દરેક નાગરિકને વૃક્ષારોપણ કરવા હાકલ કરી છે.

આ પણ વાંચો : World Environment Day 2023: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શા માટે અને કેવી રીતે શરૂ થઈ? જાણો ઇતિહાસ અને થીમ

હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ દેવેન્દ્ર સુરા પણ ઈચ્છે છે કે લોકો શક્ય તેટલું પશુ-પક્ષીઓ સાથે હળીમળીને રહે. સોનીપતના આ ટ્રી-મેનનો સંદેશ પર્યાવરણને શક્ય તેટલું સ્વચ્છ રાખવાનો છે. બને ત્યાં સુધી સાયકલનો ઉપયોગ કરો. અનેક એવોર્ડથી સન્માનિત દેવેન્દ્ર સુરા કહે છે કે આપણે આપણી દિનચર્યા બદલવી જોઈએ અને બને એટલું પ્રકૃતિની નજીક આવવું જોઈએ. તેમનું કહેવું છે કે ભારત ત્યારે જ હરિયાળું અને સ્વચ્છ બનશે જ્યારે આપણે દરેક દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવીશું. પર્યાવરણના ભલા માટે આપણે આપણામાં પરિવર્તન લાવવું પડશે.

150 થી વધુ ગામોમાં ઝુંબેશ

દેવેન્દ્ર સુરાના અથાક પ્રયાસોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે. તેમના આ જુસ્સાએ આ શરૂઆતને હરિયાણામાં જન આંદોલનમાં પરિવર્તિત કરી છે. આજે, તેમના સ્વયંસેવકો હરિયાણાની 152 થી વધુ જિલ્લા પંચાયતોમાં રોપાઓ વાવવામાં રોકાયેલા છે.

આ રીતે આવ્યો વિચાર

જ્યારે તેઓ ચંડીગઢમાં પોસ્ટેડ હતા ત્યારે તેમને રોપા વાવવાનો વિચાર આવ્યો. ચંદીગઢની હરિયાળી જોઈને તે ખૂબ જ પ્રભાવિત થયા અને નક્કી કર્યું કે તે પોતાના વતન સોનીપતને આ રીતે હરિયાળું બનાવશે. સુરાએ પહેલા પોતાના ઘર પાસે રોપા વાવ્યા, પછી ધીમે-ધીમે તેનો વિસ્તાર કરતા ગયા. આજે આ ઝુંબેશ નજીકના 150 થી વધુ ગામોમાં ચાલી રહી છે.

ભારત સરકારના આંદોલનમાં TV9નો પણ સમાવેશ

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે મનાવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં થઈ હતી. આ વર્ષે તેને 50 વર્ષ પૂર્ણ થયા છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મુવમેન્ટ અંતર્ગત ‘માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ’ નામથી અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. પર્યાવરણને બચાવવા માટે, TV9 પણ ભારત સરકારના આ વિશેષ અભિયાનમાં સામેલ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">