જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? જાણો ChatGPTએ શું આપ્યો જવાબ

|

Jun 01, 2024 | 3:41 PM

લોકસભાની ચૂંટણીના પરિણામોની શેરમાર્કેટ પર અસર જોવા મળશે. ત્યારે શેરબજારની એક લાઈવ ઈવેન્ટમાં ChatGPT ને પૂછવામાં આવ્યું કે, જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? આના પર ChatGPTએ જવાબ આપ્યો છે.

લોકસભાની ચૂટણીનું 4 જૂન, 2024ના રોજ પરિણામ જાહેર થશે. જેની શેરમાર્કેટ પર અસર જોવા મળશે. ત્યારે શેરબજારની એક લાઈવ ઈવેન્ટમાં ChatGPT ને પૂછવામાં આવ્યું કે, જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? આના પર ChatGPTએ જવાબ આપ્યો છે.

ChatGPTએ કહ્યું કે જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે છે, તો નિફ્ટી (Nifty) પર નકારાત્મક અસર પડી શકે છે. નિફ્ટીમાં લગભગ 5-10 ટકાનો ઘટાડો થઈ શકે છે. સ્પષ્ટ બહુમતી ન મળવાથી રાજકીય અનિશ્ચિતતા વધી શકે છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે. બજાર પર આ ઘટના કેટલી અસર કરશે તે અનેક પરિબળો પર આધારીત છે.

 

Next Video