Rajkot Video : રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો, એક અઠવાડિયામાં 450થી વધુ તાવ, શરદી, ઉધરસના કેસ નોંધાયા

|

Jul 18, 2023 | 2:37 PM

રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગ (health department) હરકતમાં આવ્યું છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 450થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે.

Rajkot : રાજકોટમાં ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી (Rain) માહોલની વચ્ચે રોગચાળો વકર્યો છે. રાજકોટ શહેરમાં રોગચાળાના (disease) કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગ (health department) હરકતમાં આવ્યું છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 450થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો-Ahmedabad : જો તમે સિંધુભવન રોડ પર જઈ રહ્યાં છો તો 5 રુપિયાનો સિક્કો કે 15 રુપિયા છુટ્ટા સાથે રાખજો, કારણ જાણવા જુઓ Video

છેલ્લા એક અઠવાડિયામાં વડોદરામાં 450થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ચાલુ વર્ષની સિઝનમાં મેલેરિયાના 10, ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, શહેરમાં વકરી રહેલા રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 387 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે, સાથે જ તંત્ર દ્વારા 227 ઘરોમાં ફૉગિંગની પ્રોસેસ પણ કરવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video