સિંહની પજવણીનો વાયરલ થયેલો વિડીયો જૂનાગઢના દેવળીયા આસપાસના વિસ્તારનો હોવાનું અનુમાન

Illegal Lion Show : ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 3:34 PM

JUNAGADH : બે દિવસ પહેલા સિંહની પજવણીનો વાયરલ થયેલો વિડીયો જુનાગઢનો હોવાનું જાણવા મળેલ છે.સિંહની પજવણીનો વાયરલ થયેલો આ વીડિયો જૂનાગઢના દેવળીયા આસપાસના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ વિડીયો કોઈ ખાનગી ફાર્મનો હોવાનું અને ખાનગી ફાર્મ કોઈ પોલીસ કર્મચારીનું હોવાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે. દેવળીયા પાર્ક નજીક પશુને બાંધી સિંહને લલચાવવામાં આવ્યો હતો.વીડિયોમાં બાંધેલા પશુની આસપાસ સિંહ આંટાફેરા કરી રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે DFO, ACF અને RFO સહિતના અધિકારીઓ કરી તપાસ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે.વીડિયોમાં આપ જોઇ શકો છો કે એક પશુને દોરડા વડે બાંધવામાં આવ્યું છે અને સિંહને શિકાર પીરસવા માટે કારસ્તાન રચાયું છે.ખુલ્લેઆમ શિકારના નામે સિંહની પજવણી કરવામાં આવી રહી છે અને લાયન શો કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો ગીર ગ્રામ્ય કે રેવન્યુ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે સવાલ એ છે કે કેમ વારંવાર લાયન શોના નામે સિંહની પજવણી કરવામાં આવે છે? માત્ર મનોરંજન માટે લાયન શો કેટલો યોગ્ય ? પશુના શિકારના સહારે સિંહોને લલચાવવા શું યોગ્ય છે?આવા શિકારથી સિંહોમાં રોગની ભીતિ સર્જાશે તો જવાબદાર કોણ?શું સિંહની પજવણી કરતા શખ્સો સામે કાર્યવાહી થશે? શું ખરેખર વન વિભાગ વીડિયોની કરશે તપાસ?

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, ‘મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે’

આ પણ વાંચો : Farm Laws Withdrawn : સાંસદ રાકેશ સિન્હાએ PM મોદીને ગણાવ્યા ભગવાન, કહ્યું ‘રામની જેમ લોકહિતમાં લીધો આ નિર્ણય’

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">