કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, ‘મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે’

Gujarat Congress: કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇને રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે આ મામલે રાજ્યમાંથી કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓનું નિવેદન સામે આવ્યું છે.

કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, 'મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે'
Gujarat Congress leaders (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 2:10 PM

Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે દેશને સંબોધન કરતા કૃષિ કાયદાઓ (Farmers Law) પરત ખેંચવાની જાહેરાત કરી છે. ત્યારે આ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇને રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે આ મામલે રાજ્યમાંથી કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓનું નિવેદન સામે આવ્યું છે. લલિત વસોયા, પરેશ ધાનાણી, અમરીશ ડેર તેમજ અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેશને સંબોધન કર્યું જેમાં દેવદિવાળી (Dev Diwali) અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી. તેમજ ત્રણેય કૃષિ કાયદાને (Farmers law) પરત લેવાની જાહેરાત કરી છે. 

શું કહ્યું લલિત કગથરાએ?

લલિત કગથરાએ (Lalit Vasoya) કહ્યું કે ‘નરેન્દ્ર મોદી સાહેબે મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે. એમ આ લોકો વાતચીતથી નહીં સમજે આમને હિમાચલ પ્રદેશની જેમ અને ખેડૂતોની જેમ આંદોલનથી જ આ લોકો વાત સમજી શકે’

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું કહ્યું અમરીશ ડેરે?

તો આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે (Amrish Der) પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ‘સૌ પ્રથમ હું PM ને અભિનંદન પાઠવું છું. કે વરસ-સવા વર્ષથી ખેડૂતો જે હેરાન થઇ રહ્યા હતા. ભાજપ સિવાયની પાર્ટીઓ સતત PM ને સમજાવતી હતી. એ કદાચ એમના ધ્યાને હવે આવ્યું છે. અને જે કાળા કાયદા પરત ખેંચ્યા છે, તે આવકાર્ય છે. સાથે એટલું પણ કહું છું દેર આયે દુરસ્ત આયે.’

શું કહ્યું પરેશ ધાનાણીએ?

પરેશ ધાનાણીએ (Paresh Dhanani) પણ સરકારની પાછી પાની પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ‘ભાજપ સરકારના ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાઓનું આજે બાળ મરણ થયું છે, એનો અત્યંત આનંદ છે. ભાજપના શાસકોએ એના મુઠ્ઠી ભાર મિત્રોને માલામાલ કરવા, નવી ઇસ્ટ ઇન્ડીયા કંપનીઓ મારફતે કૃષિ ઉત્પાદનોને પાણીના ભાવે પડાવી લેવા, ખેડૂતને ખેત મજદૂર બનાવવાના ષડયંત્ર સ્વરૂપ આ કાયદાનું બાળ મરણ થયું હોય એવો અહેસાસ દેશના ખેડૂતોને થયો છે.

શું કહ્યું અમિત ચાવડાએ?

પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ (Amit Chavda) પણ આ જાહેરાત પર પોતાનું નિવેદન આપ્યું છે. ‘ખેડૂતોનો સંઘર્ષ અને દેશાસીઓના સંઘર્ષની જીત છે. આજે એક તાનાશાહ શાસકે પોતાના અહમને બાજુ પર મુકીને દોઢ વર્ષ પહેલા કોંગ્રેસ અને ખેડૂતોની વાત માની હોય તો કદાચ ૭૦૦ થી વધુ ખેડૂતોને શહાદત ના વહોરવી પડી હોત.’

આ પણ વાંચો: Gandhinagar: કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત પર રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન, ‘કાયદા ખેડૂતોના હિતમાં હતા’

આ પણ વાંચો: Agricultural Bills : આજે ખેડૂતો અને આંદોલનનો વિજય થયો છે : હાર્દિક પટેલ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">