Video: નવસારીના જલાલપોરમાં પાલિકાની બેદરકારીના પાપે ભર શિયાળે સર્જાઈ પાણીની તંગી

Navsari: જલાલપોરમાં પાલિકાની બેદરકારીના પાપે ભરશિયાળે પાણીની અછત સર્જાઈ છે. જલાલપોરમાં પાણી સંગ્રહ કરવાના કોઈ સ્ત્રોત ઉભા કરવામાં ન આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે.

Video: નવસારીના જલાલપોરમાં પાલિકાની બેદરકારીના પાપે ભર શિયાળે સર્જાઈ પાણીની તંગી
પાણીની તંગી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 11:46 PM

આમ તો દક્ષિણ ગુજરાતની ભૂમિમાં પાણી ખૂટે એવું બનતું નથી, પરંતુ નવસારીના કાંઠા વિસ્તારોમાં ભર શિયાળે પણ પાણીની અછત જોવા મળી રહી છે. વરસાદ પૂરો પડ્યો હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાઈ એ જાણશો તો સરકારી તંત્રની અણઆવડત ઉડીને આંખ સામે આવશે.

નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં સીઝનનો 80થી 100 ઈંચ જેટલો વરસાદ પડે છે. પરંતુ જલાલપોર તાલુકામાં પાણી સંગ્રહ થાય એવા કોઈ પણ સ્ત્રોત ઊભા કરવામાં નથી આવ્યા. જેના કારણે અત્યારે ભરશિયાળે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. કાંઠા વિસ્તારમાં આવેલા દીપલા સહિતના ગામોમાં પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે.

સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું રોટેશન બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી પહોંચી શકતું નથી અને જે તળાવમાંથી ગામોને પાણી આપવામાં આવે છે એ તળાવો પણ સુકાઈ ગયા છે. હવે આ સ્થિતિમાં પીવાના પાણી સ્થિતિ વિકટ બની છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કાંઠા વિસ્તારમાં આવેલા આદર્શ ગામોમાં અંદાજિત 10,000થી વધુ લોકો એવા જેમને આ પાણીની તંગી અસર કરી રહી છે. નહેરનું રોટેશન હજી બંધ રહેવાનું છે. ત્યારે સ્થાનિકોએ આ મામલે ધારાસભ્ય આરસી પટેલને પણ રજૂઆતો કરી છે, પરંતુ હજી પણ પાણી પહોંચાડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ઉમરાટ ગામના સરપંચ અને પંચાયતના સભ્યોનું કે જેમણે માનવતાના ધોરણે ઠરાવ કરી ખાનગી તળાવમાંથી પાણી આપવાની શરૂઆત કરી છે. જેનાથી મહદંશે પાણીની સમસ્યાથી થોડીક રાહત મળશે, પરંતુ એ તળાવમાં પણ હવે ધીરે ધીરે પાણી ખુટી રહ્યું છે.

આ પણ વાંચો : Video: નવસારીમાં શિક્ષણ વ્યવસ્થાની ખૂલી પોલ, ચીખલીના વાંઝણા ગામમાં વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડ જ નથી

આ જોતાં હવે સિંચાઈ વિભાગ જેમ બને એમ વહેલી નહેર ચાલુ કરે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે તો બીજી તરફ સિંચાઈ વિભાગે એવું આશ્વાસન આપ્યું છે કે ટુંક સમયમાં નહેરનું રોટેશન શરૂ થશે, જેથી પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. આશ્વાસન નહીં લોકોને હવે પાણી જોઈએ છે. પાણીનો પોકાર કરી રહેલા ગામવાસીઓની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે જરૂરી છે.

ઈનપુટ ક્રેડિટ-નિલેશ ગામિત- નવસારી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">