વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં સહાયની જાહેરાત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ, જુઓ વીડિયો
ગુજરાતના વડોદરામાં એક ગોઝારી દુર્ઘટના ઘટી છે, જેમાં પ્રવાસે ગયેલા બાળકો તળાવમાં ડૂબ્યાં છે. હરણી ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 લાખ મૃતકોને અને 50 હજાર ઈજાગ્રસ્તોને સહાય જાહેર કરી છે.
વડોદરાના હરણી તળાવ ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરી કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
Distressed by the loss of lives due to a boat capsizing at the Harni lake in Vadodara. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
An ex-gratia…
— PMO India (@PMOIndia) January 18, 2024
તળાવમાં ડૂબી ગયેલા વિદ્યાર્થીઓ વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. બોટમાં 16ની ક્ષમતા સામે 27 લોકો સવાર હતા. જેમાં બે મહિલા શિક્ષકો પણ હતા. આ અકસ્માતમાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામની બે મહિલા શિક્ષિકાના મોત થયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, વિદ્યાર્થીઓ અને બે મહિલા શિક્ષકોના મોત થયા છે.
બાળકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. Dcp,acp સહિતનો પોલીસ કાફલો હરણી લેક પર પહોંચ્યો છે.
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

