GUJARAT : રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ થયું, કુલ રસીકરણનો આંકડો 3.65 કરોડ થયો

Vaccination in Gujarat :રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 45,872 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં માત્ર 36.638 લોકોને જ રસી મળી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 8:49 AM

GUJARAT :રાજ્યમાં કોરોનાનું સંકટ ટળ્યું નથી.પાછલા 8 ઓગષ્ટે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળો જોવા મળ્યો અને 25 નવા કેસ નોંધાયા હતા, જોકે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. રાહતની વાત એ છે કે કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 207 પર પહોંચી છે.જ્યારે વેન્ટિલેટર પર માત્ર 6 દર્દીઓ છે. પાછલા 24 કલાકમાં 14 દર્દીઓ સાજા થયા છે અને કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ પર પહોંચી છે.સાથે જ સાજા થવાનો દર 98.75 પર સ્થિર થયો છે. કુલ મૃત્યુઆંક 10 હજાર 77 પર સ્થિર થયો છે.

રાજ્યના કુલ 25 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોના શૂન્યમાં સમેટાયો છે…સુરતમાં સૌથી વધુ 6 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 4, વડોદરા અને રાજકોટમાં 3-3 કેસ નોંધાયા.જ્યારે અમરેલી અને ખેડામાં પણ નવા 3-3 કેસ સામે આવ્યા.

રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 45,872 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં માત્ર 36.638 લોકોને જ રસી મળી. વડોદરામાં 16,588 અને રાજકોટમાં 16,864 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 65 લાખ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

આ પણ વાંચો : GIR SOMNATH : શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિરે ભક્તો ઉમટ્યા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભુલાયા

આ પણ વાંચો : GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">