AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી : કમોસમી વરસાદે સર્જી તબાહી, 50થી વધુ વૃક્ષો ધરાશાયી, ઘરોના છાપરા ઉડ્યા, જુઓ વીડિયો

નવસારી : કમોસમી વરસાદે સર્જી તબાહી, 50થી વધુ વૃક્ષો ધરાશાયી, ઘરોના છાપરા ઉડ્યા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 1:26 PM
Share

નવસારીમાં ઘાસચારો પલળી જતા પશુપાલકોને પણ નુકસાની વેઠવી પડી છે. જલાલપોર તાલુકામાં 20થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા છે. જેના કારણે અનેક લોકો બેઘર થયા છે. અનેક ઘરોમાં ભારે નુકસાન થયું છે.

નવસારી: ગુજરાતમાં ભર શિયાળે મુશ્કેલીનું માવઠું આવ્યું છે અને તેણે ઠેર ઠેર નુકશાની વેરી છે. જેના કારણે ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે, ત્યારે નવસારીમાં પણ જન જીવન પર ભારે અસર થઈ છે. નવસારી શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. નવસારીમાં પડેલા કમોસમી વરસાદથી ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

નવસારીમાં ઘાસચારો પલળી જતા પશુપાલકોને પણ નુકસાની વેઠવી પડી છે. જલાલપોર તાલુકામાં 20થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા છે. જેના કારણે અનેક લોકો બેઘર થયા છે. અનેક ઘરોમાં ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં ભારે પવન સાથે પડેલા વરસાદથી 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાથી નેશનલ હાઈવે 48 પર 8થી વધુ અકસ્માત સર્જાયા છે.

આ પણ વાંચો-મોરબીમાં વરસાદ સાથે બરફના કરા પડતા ભારે નુકસાન, ફેકટરીઓના સેડમાં પડ્યા કાણા

આ સાથે વરસાદે સુગર ફેક્ટરીઓની સમસ્યામાં પણ વધારો કર્યો છે. ખેતરોના રસ્તા બંધ થતા શેરડી લાવવામાં મુશ્કેલ પડી રહી છે. શેરડીની ઓછી આવકથી ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે, ત્યારે હવે સરકાર ખેડૂતો માટે કોઈ સહાય જાહેર કરે છે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">