Gujarati video : તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે ડાઉનલોડ કરી શકશે કોલ લેટર, 7 મે એ રાજ્યમાં યોજાશે તલાટી કમ મંત્રીની પરીક્ષા

|

Apr 27, 2023 | 11:52 AM

Gandhinagar News : આગામી 7 મેએ રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બપોરે 1 વાગ્યા બાદ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

આગામી 7 મેએ રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બપોરે 1 વાગ્યા બાદ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તલાટીની પરીક્ષા આપવા માટે 8 લાખ 65 હજાર ઉમેદવારે સંમતિ પત્ર આપ્યુ હતુ. સંમતિ પત્ર ભરનાર ઉમેદવાર જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

આ પણ વાંચો-Ahmedabad : સિવિલ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, 195 કિલો વજન ધરાવતા રાજકોટના વ્યક્તિની સફળતાપૂર્વક બેરિયાટીક સર્જરી સંપન્ન

આગામી 7 મેએ તલાટીની પરીક્ષા યોજાવાની છે. જેના માટે 20 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે તેવી સૂચના હતી. જે ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યુ હશે તે જ પરીક્ષા આપી શકશે તેવુ સૂચન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલુ છે. જો કે કુલ 17 લાખથી વધુ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારે સંમતિ પત્ર આપ્યુ હતુ.

હસમુખ પટેલે અગાઉ આ માહિતી આપી હતી

આ પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી છે કે તલાટીની પરીક્ષા આપવા ઉમેદાવારોએ પરીક્ષા કેન્દ્ર પર સંમતિપત્ર સાથે લાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સંમતિપત્ર પરીક્ષા કેન્દ્ર પર લાવવાની કોઈ જરૂર નથી. કોલલેટર 7થી 8 દિવસ પહેલા ડાઉનલોડ થઇ શકે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે લોકો સંમતિપત્ર ભરશે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે ઉમદવાર સંમતિપત્ર નહીં ભરે તેઓ આપોઆપ ગેરલાયક ઠરશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video