Gujarati Video: તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાની અવધિ પૂર્ણ, 8.65 લાખ ઉમેદવારોએ ભર્યા સંમતિ પત્રક, 7 મે એ યોજાશે તલાટીની પરીક્ષા

Gandhinagar: તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાની સમયમર્યાદા હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે. રાજ્યમાં 7મી મે એ તલાટીની પરીક્ષા યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 5:16 PM

તલાટીની ભરતી પરીક્ષા માટેના સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે. આ અંગે માહિતી આપતા GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલ જણાવ્યું કે જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોએ તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં હતા તેમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે. બાકીના લોકોને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે. આ સાથે નવી વ્યવસ્થાને સ્વીકારવા બદલ હસમુખ પટેલે ઉમેદવારોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

ડમી ઉમેદવાર સામે ત્વરીત પગલા લેવામાં આવશે- હસમુખ પટેલ

ડમી ઉમેદવારને લઈને પણ હસમુખ પટેલે જણાવ્યુ કે જો આ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તેના વિરુદ્ધ ત્વરીત પગલા લેવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે અગાઉની પરીક્ષામાં પણ ડમી ઉમેદવાર અંગેની કોઈ જાણકારી હોય તો જે તે વ્યક્તિ તેની સાચી ઓળખ સાથે તે વિગતો તેમની સાથે શેર કરે. તેમણે ખાતરી આપતા જણાવ્યુ કે વિગતો આપનારની દરેક માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

આ પણ વાંચો: Gujarati Video : 7 મેએ લેવાનારી તલાટીની પરીક્ષા મામલે હસમુખ પટેલનું નિવેદન, કહ્યુ- પરીક્ષા કેન્દ્ર પર સંમતિપત્ર લાવવાની જરૂર નથી

અગાઉ 18 એપ્રિલે હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે તમામ ઉમેદવારો 20 એપ્રિલ સુધીમાં સંમતિપત્ર ભરી દે. જેમણે સંમતિપત્ર નહીં ભર્યુ હોય તેવા ઉમેદવારો પરીક્ષામાં બેસી નહીં શકે. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષાકેન્દ્ર પર આ સંમતિપત્રકને લાવવાની જરૂર નથી. કોલલેટર 7થી8 દિવસ પહેલા ડાઉનલોડ થઈ શકે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. સંમતિપત્ર ભરાયા બાદ કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે તેને ધ્યાને રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">