Ahmedabad : સિવિલ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, 195 કિલો વજન ધરાવતા રાજકોટના વ્યક્તિની સફળતાપૂર્વક બેરિયાટીક સર્જરી સંપન્ન

Ahmedabad: છેલ્લા 3 વર્ષથી સ્થૂળતાના કારણે શારીરિક તેમજ માનસિક પીડા સહન કરતા રાજકોટના જીતુભાઈની વ્હારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવી છે. સિવિલ હોસ્પિટલમાં 195 કિલો વજન ધરાવતા જીતુભાઈની ઓબેસિટી બેરિયાટીક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.

Ahmedabad : સિવિલ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, 195 કિલો વજન ધરાવતા રાજકોટના વ્યક્તિની સફળતાપૂર્વક બેરિયાટીક સર્જરી સંપન્ન
Bariatric surgery
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 27, 2023 | 10:09 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલને નામે અનેક જટિલમાં જટિલ કહી શકાય તેવી સર્જરી સફળતાપૂર્વક કરવાનો શ્રેય છે. સિવિલમાં 500 ગ્રામના બાળકથી લઈ 210 કિલોગ્રામ વજન ધરાવતા વ્યક્તિની અત્યંત જટિલ અને ખર્ચાળ કહી શકાય તેવી સર્જરી ઉપલબ્ધ બની છે અને અહીંના નિષ્ણાંત સર્જન દ્વારા આવી અનેક જટિલ કહી શકાય તેવી સર્જરી સફળતાપૂર્વ સંપન્ન થઈ છે. રાજકોટના જીતુભાઈ જેઓ સ્થૂળતાને કારણે અનેક શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સફળ ઓબેસિટી બેરિયાટિક સર્જરી કરવામાં આવી છે.

195 કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિની સફળ બેરિયાટિક સર્જરી

મેદસ્વીતાના લીધે તેઓને રોજીંદા કામોમાં ઘણી મુશ્કેલી પડતી હતી. જેમાં અવરજવર, શ્વાસ લેવામાં તકલીફ વગેરેનો સમાવેશ થતો હતો. શારીરિક તેમજ માનસિક પીડાઓ ભોગવતા જીતુભાઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં bariatric surgeryના ઓપરેશન માટે 5 થી 7 લાખનું બજેટ આપવામાં આવ્યું હતું. 195 કિલો વજન અને 66.4 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા જીતુભાઈને દુઃખો અને પીડાઓમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે. હ્રદય, ફેફસા અને લોહીની તપાસ બાદ કોઇ અગમ્ય કારણોસર (જેનેટીક) તેમનું વજન 80 કિલોમાંથી 195 કિલોએ પહોચવાનું નિદાન થયુ હતું. ગત સપ્તાહે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ, ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા તેમની મેદસ્વીતા ઘટાડવા બિન-કુદરતી અપચાની bariatric surgery (stomach pouch + minigastric bypass) કરવામાં આવી હતી.

ઓપરેશન બાદ 10 દિવસ સુધી અપાયો 10-6 લીટર/ મિનિટ ઓક્સીજન સપોર્ટ

જીતુભાઇને ઓપરેશન બાદ 2 દિવસ વેંટીલેટર સપોર્ટ પર અને ત્યારબાદ 10 દિવસ સુધી 10-6 લીટર/મિનિટ ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 12 દિવસની પોસ્ટ ઓપરેટિવ કેર પછી ગત રોજ જીતુભાઈ જાતે ચાલીને ઘરે ગયા હતા. આ જટિલ સર્જરી બાદ હવે જીતુભાઈ જીવના જોખમમાંથી મુક્ત બન્યા છે અને પોતાની રોજિંદી જીવનચર્યા તેઓ ઘણી સરળતાથી કરી શકશે જે બદલ તેઓ સસ્મિત સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરે છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 500 ગ્રામના બાળકથી લઈ 210 કિલોગ્રામના દર્દીઓના રોગોનું નિદાન

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ 2017 થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. ડૉ.રાકેશ જોષી અને ડૉ.આર.આર.પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલ આજે 500 ગ્રામના બાળકથી લઈને 210 કિગ્રા સુધીના દર્દીઓનું સંચાલન કરી રહી છે. મેદસ્વી દર્દીઓને આજે સિવિલમાં તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી માટેની શરૂઆતથી અંત સુધીની તમામ સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સર્જરી વિભાગની ટીમે ઘણી જટિલ બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.

વજન ઘટાડા માટે અસમર્થ વ્યક્તિઓ માટે બેરિયાટિક સર્જરી એકમાત્ર વિકલ્પ

જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 40 કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 35 કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર, અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો અથવા હૃદયરોગ) થી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.

ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસથાપન માટે અદ્યતન સુવિધા

સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયટેશિયન દ્વારા સાવચેત અને સતત પોષણ મૂલ્યાંકન, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેના લીધે દર્દી સફળતા પૂર્વક ડિસ્ચાર્જ મેળવીને ખુશીથી ઘરે જઈ શકે છે. જીતુભાઈ જેવા વધુને વધુ સ્થૂળતા પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની સેવાઓનો લાભ મેળવીને જોખમરૂપ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે તે માટે સિવિલ હોસ્પિટલની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ પ્રતિબદ્ધતા સેવે છે.

આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 104મું અંગદાન, આધેડની બે કિડની અને એક લીવરનું દાન, 3 જરૂરિયાતમંદને મળ્યુ નવજીવન

ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી પહેલા અને સર્જરી દરમિયાન ઉદભવતા પડકારો :-

  •  વધુ વજનને લીધે દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ શિફ્ટ કરવાની મુશ્કેલીઓ
  •  ઓપરેશન પહેલા અનેસ્થેસિયા આપવા માટે અને ઓપરેશન દરમિયાન દર્દીને સુવડાવવા માટે વજન સહી શકે તેવા બેડની જરૂરિયાત
  •  લેપ્રોસ્કોપી માટે અલાયદા સાધનોની આવશ્યકતા, વધારે લંબાઈવાળા શરીરમાં ચરબીના થરને ભેદી શકે તે પ્રમાણેના લેપરોસ્કોપી સાધનોની જરૂરિયાત રહે છે
  •  દર્દીના એકસ- રે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે
  •  વધારે વજન ધરાવતા દર્દીઓમાં 10-12 ઇંચ લંબાઈનું ચરબીનું થર તેમજ પેટની દિવાલનું વજન 30-40 કિલો જેટલું હોવાથી સર્જરી અતિશય કઠિન બની રહે છે
  •  સામાન્ય સર્જરી દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું પ્રેશર 10-12 જેટલું જરૂરી હોય, જ્યારે આવી સર્જરી માટે 20 થી 25 જેટલું પ્રેશર જરૂરી બને છે
  •  દર્દીના હાથ પગનું વજન ઘણું વધારે હોવાથી ઓપરેશન દરમિયાન હાથપગના હલનચલન કરાવવામાં પડતી તકલીફો
  •  ઓપરેશન બાદ દર્દીને શિફ્ટિંગ કરવામાં, IV ફ્લુઇડ આપવામાં, કસરતો કરાવવામાં પડતી મુશ્કેલીઓ
  •  સામાન્ય ઓપરેશન કરતા બમણા સ્ટાફની ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ દેખરેખ અને કસરત માટે જરૂરિયાત
  •  દર્દી માટે અલગથી સ્ટ્રેચર, ટ્રોલી વગેરેની વ્યવસ્થા કરવી પડે છે
  •  ઓપરેશન દરમિયાન દર્દીની શારીરિક ગતિવિધિઓનું સતત બરિકાઇપૂર્વક નિરીક્ષણ કરતા રહેવું પડે છે

Latest News Updates

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">