AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળજાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરમાં ઉઠી પાણીની બુમરાણ, મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યા યથાવત

સુરેન્દ્રનગરમાં છેલ્લા લાંબા સમયથી પાણીની સમસ્યા વિકટ બની છે પરંતુ પાલિકાના સત્તાધિશોને શહેરીજનોની આ સમસ્યાની કંઈ પડી નથી. હાલ સ્થિતિ એવી છે કે કાળજાળ ગરમી વચ્ચે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. લોકોને પૂરતુ પાણી નથી મળતુ અને જે મળે છે એ પણ ચોખ્ખુ પીવાલાયક નથી આવતુ જેના કારણે શહેરીજનો હવે આંદોલનના મૂડમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2025 | 7:04 PM
Share

ગુજરાતમાં કયાંય પણ ટેન્કર રાજ નથી, તેવા સરકાર દ્વારા દાવા તો બહુ કરાય છે પરંતુ સુરેન્દ્રનગરના આ દૃશ્યો કંઈક જૂદી જ હકીકત દર્શાવી રહ્યા છે.  શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે.  સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં ફરી પાણીની બુમરાણ મચી છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ લોકોની સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી. લોકોને આશા હતી કે મહાનગરપાલિકા બનતા શહેરને રોજ પૂરતું પીવાનું પાણી મળી રહેશે. પરંતુ, આ આશા ઠગારી નીવડી છે.

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતા પાણી નહીં મળતા લોકો આંદોલનના મૂડમાં છે કારણ કે, ધોળીધજા ડેમમાંથી પાણી જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ અને બોટાદ સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ, સુરેન્દ્રનગરના શહેરીજનોને કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સર્જાયો છે. લોકોની રાવ છે કે, સુરેન્દ્રનગર મનપા દર ચોથા કે પાંચમા દિવસે પાણી વિતરણ કરે છે અને એ પાણી અપૂરતું, ગંદુ અને દુર્ગંધવાળું હોય છે. જેથી લોકો વેચાતુ પાણી લેવા મજબૂર બન્યા છે. આ બાબતે મનપામાં લોકોએ રજૂઆત કરી પરંતુ, અધિકારીઓ સાંભળતા નથી. તેવા લોકોના આક્ષેપ છે.

આપને જણાવી દઇએ, સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર સ્થિત સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે. જેમાં રામદેવનગર, પુષ્પગંજ, નવરંગ, વઢવાણ કોટ, મસ્જિદ શેરી, દેપાળાવડ અને માધાખ વાસ સહિતના વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું. જેને લઇ સ્થાનિકોએ મનપા કચેરીમાં હોબાળો કર્યો પરંતુ, અધિકારીઓ સાંભળતા નહીં હોવાના આક્ષેપ કર્યા. લોકોની માગ છે કે પૂરતું અને ચોખ્ખું પાણી આપવામાં આવે. નહીંતર ઉગ્ર આંદોલન કરીશું. તો, બીજી તરફ મનપાના ઇજનેરે લૂલો બચાવ કરતા કહ્યું કે, આખલા યુદ્ધમાં પોલ પડી જતા વિતરણ ખોરવાયું છે. જે આગામી સમયમાં રેગ્યુલર થઇ જશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
g clip-path="url(#clip0_868_265)">