સુરેન્દ્રનગર : સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ ઉપર ઉતર્યા

દુકાનદારોનો આક્ષેપ છે કે મહિલા પુરવઠા અધિકારી દ્વારા 100 ટકા અનાજ વિતરણ, રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા અને રેશનકાર્ડ ધારકોના ઘરે જઈને અનાજ વિતરણ કરવાનું દબાણ કરાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 4:04 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ માગણીઓ પૂરી ન થતાં સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ ઉપર ઉતર્યા છે. દુકાનદારોનો આક્ષેપ છે કે મહિલા પુરવઠા અધિકારી દ્વારા 100 ટકા અનાજ વિતરણ, રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા અને રેશનકાર્ડ ધારકોના ઘરે જઈને અનાજ વિતરણ કરવાનું દબાણ કરાય છે. પણ સામે અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી કરાવાતો. મહિલા પુરવઠા અધિકારીએ એક સસ્તા અનાજના દુકાનદારને પાસા લગાવવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. જેને પગલે દુકાનદારોમાં રોષ વ્યાપ્યો છે. જિલ્લા ભરના 500થી વધુ અનાજના દુકાનદારો હડતાળમાં જોડાયા છે. દિવાળી સમયે જ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી અનેક પરિવારો અનાજથી વંચિત રહી ગયા છે. દુકાનદારોની માગણી છે કે હાલમાં કાર્યરત જિલ્લા પુરવઠા અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવે.

હાલ તો સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે દુકાનદારોની માંગણી કયારે સંતોષવામાં આવે છે તેના પર સૌ-કોઇ નજર રાખીને બેઠા છે. આ હડતાળમાં જિલ્લાભરના 500થી વધારે દુકાનદારો જોડાયા છે. ત્યારે દિવાળી ટાણે જ હડતાળને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને, આ હડતાળનો અંત કયારે આવશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

આ પણ વાંચો : BOTAD : સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં 8 દિવસીય શિબિરનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધઘાટન, ગાયક દિલેર મહેંદીએ હાજરી આપી

આ પણ વાંચો : T20 World Cup : ટીમ ઈન્ડિયાની હાલત નબળી કરનાર ઈશ સોઢીનો પ્રેસ કોન્ફરન્સમાં પરસેવો વળી ગયો, માતાના ડરથી ન આપ્યો સવાલનો જવાબ, જુઓ Video

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">