અંબાજીનો માર્બલ ઉદ્યોગ આમ તો સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે પરંતુ હવે તેને GI ટેગ દ્વારા એક નવી જ ઓળખ પ્રાપ્ત થઈ છે. અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. “GI ટેગ” એ ઉચ્ચ ગુણવત્તાની સાબિતી આપે છે. ત્યારે વર્ષોની મહેનત બાદ આ ટેગ મેળવવામાં સફળતા મળતા માર્બલના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
આપને જણાવી દઈએ કે શક્તિપીઠ અંબાજીનું મંદિર પણ આ જ માર્બલથી નિર્માણ પામ્યું છે. તો દેશથી લઈ વિદેશ સુધી અનેક કલાત્મક મંદિરોનું નિર્માણ અંબાજીના આરસપહાણથી જ પરિપૂર્ણ થયું છે. હાલ દિલ્લીમાં બની રહેલી અમેરિકન એમ્બેસીમાં પણ અંબાજી માર્બલ જ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.
ગુજરાતમાં માર્બલની ખાણો એકમાત્ર અંબાજીમાં જ છે. અંબાજીના માર્બલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કેલ્શિયમની માત્રા વધારે છે. અને સાથે જ તે મજબૂત પણ છે. આ આરસપહાણમાં સિલિકોન ઓક્સાઈડ અને કેલ્શ્યિમ ઓક્સાઈડ જેવા તત્વો તેનું સકારાત્મક પાસું છે. અંબાજીમાં 1 હજારથી 1200 વર્ષ પ્રાચીન માર્બલની ખાણો આવેલી છે. અંબાજીના માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ મનાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો