Dahod: જોબટથી રાજકોટ જતી ખાનગી બસ પલટી, કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા
Dahod: જોબટથી રાજકોટ જતી ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે.
Dahod Accident: દાહોદમાં મોદી રાત્રે ભયાનક અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં જોબટથી રાજકોટ જતી ખાનગી બસ પલટી (Bus Accident) હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે લીમખેડાના મૌની બાબા આશ્રમ પાસે બસ પલટી ગઈ હતી. ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ અઈચ્છનીય ઘટના ઘટી. અકસ્માતમાં કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હોવાના અહેવાલ છે.
તો 23 ડિસેમ્બરના રોજ અમરેલીના કુકાવાવ હાઈવે પર ટુ-વ્હીલર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર પતિ પત્ની અને બાળકીનું ઘટના સ્થળે મોત થયુ છે. જેમાં ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં સવાર ત્રણ લોકોને સારવાર અર્થે 108ની મદદથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અમરેલી જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસમાં અકસ્માતમાં 10નો ભોગ લેવાયો છે.
આ પણ વાંચો: AAP નેતા મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર, કહ્યું ‘ભાજપ વિરોધ દાબવા માટેના અનેક પ્રયાસો કરી રહી છે’
આ પણ વાંચો: નશામાં ધૂત રાજકોટ પોલીસ જવાને કરી તોડફોડ, બાઈક લઈને ગબડી પડ્યો: સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે