કોરોના મૃતકોને સહાય મુદ્દે સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકાર પર નારાજ, લોકોને પડતી અગવડતા દૂર કરવા ટકોર

કોરોના કાળમાં મૃતકોને સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર પર લાલઘુમ થઇ છે. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહી દીધું કે કોઇપણ સરકાર સહાય આપી લોકો પર ઉપકાર નથી કરતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 8:19 PM

કોરોના(Corona)  કાળમાં મૃતકોને સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટ(Supreme Court)  ગુજરાત(Gujarat)  સરકાર પર લાલઘુમ થઇ છે. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહી દીધું કે કોઇપણ સરકાર સહાય આપી લોકો પર ઉપકાર નથી કરતી. આ તેમની ફરજ છે સાથે જ લોકોને પડતી અગવડતા દૂર કરવા રાજ્ય સરકારોને ટકોર પણ કરી છે.કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં જેમના મોત કોરોનાથી થયા તેમને વળતરની વાતનો મુદ્દો સુપ્રીમ કોર્ટના શરણે છે. જેમાં દેશના અનેક રાજ્યમાં વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટ નારાજ પણ છે, સુપ્રીમ કોર્ટની દલીલ છે કે સહાય આપી કોઇપણ સરકાર લોકો પર ઉપકાર નથી કરતી..

મહત્વનું છે કે કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓને સહાય મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલ કર્યું કે, સરકારી ચોપડે અત્યારસુધીમાં 10,579 મોત થયા છે. પરંતુ તેની સામે કોરોનાની મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજી મંજૂર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે, ઘણા રાજ્યોમાં કોરોના મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજૂર કરેલી અરજીના આંકડાઓમાં મોટો તફાવત છે. આટલા બધા ક્લેમ ખોટા ન હોય શકે, માટે હવે સરકારે સહાય માટે જેટલી અરજીઓ મંજૂર કરી છે તેના આંકડાને જ ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર છે. સાથે જ ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે, રાજ્ય સરકાર એવું બિલકુલ ના માને કે તે પ્રજા કે કોઈની ઉપર ઉપકાર કરી રહી છે.

આ પણ વાંચો : Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : PGVCLનો સપાટો, કચ્છ-રાજકોટ જિલ્લાની 8 જેટલી હોટેલ-ફેકટરીમાંથી 4 કરોડની વીજચોરી ઝડપાઇ

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">