અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં થતા પ્રદુષણને લઈ હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જાહેરહીતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેને લઈ હાલમાં હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. એ દરમિયાન વધુ એક વખત સોગંદનામું કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ.
વાસણા સહિતના બે એસટીપી પ્લાન્ટની સ્થિતિ ખરાબ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ અંગે રિપોર્ટ પણ જોવા માટે કહ્યું છે. એએમસીએ રજૂ કરેલી બ્લુ પ્રિન્ટ અંગે પણ હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને વેધક સવાલો કર્યા હતા.