Rajkot: જામકંડોરણાની સાજડિયાળી પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ, આચાર્ય આભડછેટ રાખતા હોવાના થયા આક્ષેપ

Rajkot: જામકંડોરણાની સાજડિયાળી પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં આચાર્ય અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રાખતા હોવાના અને તેમને વર્ગખંડમાં અલગ બેસાડતા હોવાના આક્ષેપ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 1:31 PM

રાજકોટના જામકંડોરણા (Jam Kandorana)ની સાજડિયાળી પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે, આ શાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શાળાના આચાર્ય આભડછેડ રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળાના આચાર્ય (Principal) પર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો આરોપ લાગ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે આભડછેડ રખાતી હોવાનો આરોપ લાગ્યો છે. આચાર્ય પોતે જ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં વાલી અને આચાર્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ રહી હોવાનું સામે આવ્યુ છે. જેમાં વાલી તેમના બાળક સાથે ભેદભાવ કરવા અંગે પ્રશ્ન કરી રહ્યા છે તો બીજી તરફ આચાર્ય દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે ”હા અમે આભડછેડ રાખીએ છીએ, તારે ફરિયાદ કરવી હોય તો કરી દે. ”

શાળામાં આભડછેટનો વીડિયો વાયરલ

આ જ મુદ્દે અનુસૂચિત જાતિના આગેવાન અને રાજકોટ ડેરીના પૂર્વ પ્રમુખ ગોવિંદ રાણપરિયાનો એક ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં ગોવિંદ રાણપરિયા મામલો પતાવવાની વાત કરી રહ્યા છે. જો કે આ વાયરલ વીડિયોની Tv9 ગુજરાતી પુષ્ટિ નથી કરતુ. કોઈ જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં શાળાના આચાર્ય અમુક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રાખવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેમા વર્ગખંડમાં બાળકને અલગ બેસાડતા હોવાના પણ આરોપ લાગ્યા છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">